Sunday, 23 January 2022

'આશકા માંડલ'. - અશ્વિની ભટ્ટ

 

     'આશકા માંડલ'ને ઘણા વાચકોએ અશ્વિની ભટ્ટની શ્રેષ્ઠ નવલકથાઓમાં સ્થાન આપ્યું છે. આ નવલકથા અશ્વિની ભટ્ટની શરૂઆતની નવલકથાઓમાંની અ‍ેક છે. નીરજા ભાર્ગવ, લજજા સન્યાલ, શૈલજા સાગર અને આશકા માંડલ, આ ચારેય નવલકથાઓ 1979માં પ્રગટ થયેલી. 456 પાનાંઓમાં ફેલાયેલી 'આશકા માંડલ' રાજસ્થાનની સંઘારી તોડા નામની જગ્યાઅ‍ે સંતાડવામાં આવેલ નાનાસાહેબ પેશ્વાના સત્તરસો કરોડના ખજાનાની શોઘમાં નીકળેલાંઓની કથા કહે છે.

આમ તો કથાનો સમયગાળો વીસમી સદીની શરૂઆતનો છે, પણ ખજાનાની વાત આ કથાને 1857ના વિપ્લવ સાથે જોડી આપે છે. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ચંબલને કિનારે આવેલ કારોલી રાજયનો પરાક્રમી રાજા શૂરજીતસિંહ માંડલ દેશને ગુલામીની જંજીરમાંથી મુકત કરવા વિપ્લવવાદીઓને સાથ આપે છે. વિપ્લવની નિષ્ફળતા પછી અ‍ેની સંપત્તિ જપ્ત થાય છે અને કારોલીની તેની પ્રજા પણ હાલાકીનો ભોગ બને છે.  અ‍ેક સમયનો રાજા હવે બાગી બની છુપાતો રહે છે. તેની પુત્રીના વિવાહ વખતે કર્નલ બેરીમૂર તેની ઘરપકડ કરે છે. અ‍ે વખતે તેનો પંદર વર્ષનો પુત્ર શરનસિંહ શૂરજીતસિંહના અન્ય બે વફાદાર માણસોની મદદ લઈને કર્નલની હત્યા કરીને પિતાને મુકત કરાવે છે. નાની ઉંમરે જ શરનસિંહ બાગી બને છે અને બ્રિટિશ થાણાઓ, ટ્રેઝરીઓ અને બ્રિટિશ તિજોરીઓ પર હાહાકાર મચાવે છે. આ શરનસિંહને નાનાસાહેબ તરફથી પેશ્વાનો ખજાનો મળેલો. હિંદુસ્તાનમાં આઝાદીનો વિપ્લવ ફરી થશે ત્યારે અ‍ે ખજાનો ખપમાં આવશે અ‍ેવી ઉમેદ હતી. આ શરનસિંહની પુત્રી તે આશકા માંડલ, આ નવલકથાની ખૂબસૂરત નાયિકા.

      જોકે આ બધો ઇતિહાસ ફ્લૅશબૅકમાં  આવે છે. કથાની શરૂઆત થાય છે નાયક સિગાવલ કેશીથી. તે રાજસ્થાનના હમીરગઢ નામના રાજયનો રાજકુંવર છે. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેના પિતાઅ‍ે 'અંગ્રેજ શહેનશાહની હાકલથી આ પારકા યુદ્ધમાં' જોડાવાનું પસંદ કર્યું છે અને પિતા સહિત તે અને તેનો મોટો ભાઈ અનુપસિંહ ફ્રાંસમાં છે. યુદ્ધમાં પિતાનું મૃત્યુ થતાં તેઓ અ‍ેમનો મૃતદેહ હમીરગઢ લાવે છે.

      અનુપને ગાદી સોંપવામાં આવે છે. દરમિયાન અ‍ેક દિવસ સિગાવલ ત્રિસેક માઈલ દૂર આવેલી થોરાડની વીરડી નામની જગ્યાઅ‍ે જાય છે. અહીં રેતની આંધી વખતે ઢૂવાની સરતી જતી રેતમાં અ‍ેક હાડપિંજર તેની નજરે ચડે છે. ખજાનાની શોધની આ કથાનો આરંભ અહીંથી થાય છે. સિગાવલ અ‍ે મૃતદેહ પરની અમુક - ચીજો પટ્ટો, રાઇફલ,ઘડિયાળ, માદળિયું - લઈને મહેલે પાછો ફરે છે. તેની ભાભી જયશ્રી અને અનુપ અ‍ે ચીજો પરનાં માંડલ રાજવંશનાં રાજચિહ્નો જોઈને જણાવે છે કે અ‍ે મૃતદેહ શરનસિંહનો હોઈ શકે. શરનસિંહ શ્રીદેવીના મામા થાય, અને આશકા શ્રીદેવીની બહેન. દરમિયાન રાજમહેલની લાયબ્રેરીના કારકુન સખીરામ પર જાનલેવા હુમલો થાય છે. સખીરામ જેવા માણસ પરના હુમલાનું કારણ કોઈને સમજમાં આવતું નથી, પણ તેના ટેબલ પર પડેલી હાથીદાંતની શિંગડી (આઇવરી હૉર્ન) ગાયબ હતી અ‍ે વાત નાયક સિગાવલના ધ્યાનમાં આવે છે. આ સખીરામને પછી હૉસ્પિટલમાં ઝેર પાઈને તેની હત્યા નિપજાવવામાં આવે છે. મરતા પહેલાં તે ‘આશકા...આશકા’ બબડતો હતો. બેક દિવસ પછી ગૂમ થયેલી હૉસ્પિટલની ઍન્ગ્લો-ઈંડિયન નર્સ રમોના જૅકબની પણ હત્યા થયેલી લાશ મળે છે અને કોકડું વધુ ગૂંચવાય છે. દરમિયાન પરિવારનો સૉલિસિટર સિગાવલના પિતાનો પત્ર લઈને આવે છે. આ પત્રમાં તેમણે સખીરામને કેટલાક મહત્ત્વના કાગળો અને હાથીદાંતની શિંગડી સાચવવા આપ્યાની વાત જણાવી છે. આ પત્ર યુદ્ધ દરમિયાન યુરોપથી જ લખાયેલો. અ‍ે પત્ર લખાયેલો ત્યારે કર્નલ બર્નાડ હન્ટ સિગાવલના પિતા સાથે જ હતો.

      આ કર્નલ બર્નાડ હન્ટ વળી સિગાવલના પિતાના અવસાન પછી હમીરગઢમાં પણ હાજરી આપે છે. ખજાનાની શોધના પૂરા પ્લાનનો અ‍ે માસ્ટરમાઇન્ડ છે અ‍ે હકીકત પછી સામે આવે છે. 35 વર્ષે લશ્કરમાંથી નિવૃત્ત થયા પછી અ‍ે વતન પાછા ફરવાને બદલે અ‍ે હિંદુસ્તાનમાં જ ધામો નાખીને રહ્યો છે. અ‍ેણે જ સખીરામનું ખૂન કરીને પેલી શિંગડી હાંસલ કરી હતી. ખજાનાની શોધમાં અ‍ેણે અ‍ેની ભત્રીજી સાન્દ્રા અને અ‍ેના મંગેતરને પીટરને પણ સામેલ કર્યાં છે. અંદરના ભાગમાં ત્રિશૂલના નિશાનવાળી હાથી દાંતની શિંગડી શરનસિંહના વફાદારો માટે અ‍ેક ગુપ્ત અ‍ેંઘાણી હતી. અ‍ે અ‍ેંઘાણી સાથે લાવનારની બધી વાત બિનસંકોચ સ્વીકારવામાં આવતી. સખીરામ પાસેથી પેલી હાથીદાંતની શિંગડી ચોરી લીઘા પછી કર્નલ બર્નાડ હન્ટનો પ્લાન શરનસિંહની દીકરી આશકા માંડલનું અપહરણ કરવાનો છે. આ માટે અ‍ે જશવંતસિંહ ઠાકુર નામના માથાફરેલ બાગીની મદદ લે છે.  છોકરીઓને ઉઠાવી જવાના કેટલાય ગુનાઓમાં અ‍ે સંડોવાયેલો છે. એનો સાથીદાર જેસો - નર-રાક્ષસ-  અ‍ેનો પડછાયો બનીને હંમેશાં અ‍ેની સાથે રહે છે.

       કર્નલ બર્નાડ હન્ટ આશકાનું અપહરણ કરાવીને ખજાના સુઘી પહોંચવા માંગતો હતો. શરનસિંહના છુપા કૅમ્પ સુધી પહોંચવા માટે અ‍ે પેલી શિંગડીનો ઉપયોગ કરે છે અને શરનસિંહના વફાદાર અ‍ેવાં જેસલમેરના રાજવીના સાળા પૃથ્વીસિંહ અને સખીરામની પત્ની જમના અ‍ેમ બંનેને અ‍ેક જગ્યાઅ‍ે મળવાનું જણાવે છે. સખીરામની પત્નીને કેટલોકો પોતાની સાથે લઈ જતાં જોઈને સિગાવલ ઘોડા પર તેમનો પીછો કરવા પ્રયત્ન કરે છે, પણ રસ્તામાં ઘાયલ થઈને બેહોશ થઈ જાય છે. અ‍ે હોશમાં આવે છે ત્યારે પોતાને શરનસિંહના કૅમ્પમાં જૂઅ‍ે છે. ત્યાં અ‍ે પહેલીવાર શરનસિંહની પુત્રી આશકાને જૂઅ‍ે છે અને અ‍ેના પ્રેમમાં પડી જાય છે. પૃથ્વીસિંહ અને જમના બેહોશીની હાલતમાં અ‍ેને ત્યાં લાવેલાં. વાર્તાલાપ દરમિયાન અ‍ે લોકોને ખ્યાલ આવે છે કે પૃથ્વીસિંહ અને જમનાને અ‍ેક જ જગ્યાઅ‍ે ભેગા કર્યાં પછી અ‍ેમના દુશ્મનોઅ‍ે અ‍ેમનો પીછો કર્યો હશે અને અ‍ેટલે અ‍ેમને આ કૅમ્પ વિશે ખ્યાલ આવી ગયો છે.

      અ‍ે જ સમયે જશવંતસિંહનો માણસ આશકાનું અપહરણ કર્યાનો સંદેશો લઈને આવે છે. સંદેશા નીચે સહી કરનાર પીટર બેરીમૂર છે - પંદર વર્ષની ઉંમરે શરનસિંહના હાથે જેનું ખૂન થયું હતું અ‍ે કર્નલ બેરીમૂરનો દીકરો . અહીં અ‍ેક નવું પાત્ર ઉમેરાય છેઃ પૂરણસિંહ. પૂરણસિંહ શરનસિંહનો વફાદાર છે, અને વળી આશકાને ચાહે છે. આશકાને છોડવા માટે પીટર બેરીમૂર કેવી સોદાબાજી કરશે અ‍ેનો વિચાર તેઓ કરતા રહે છે. પીટરને જોકે પિતાના ખૂનનો બદલો લેવામાં રસ નથી. અ‍ેને રસ છે ખજાનામાં. અ‍ે ખજાનાના નકશાના બે ભાગ અ‍ેમને મળ્યા છે, પણ ત્રીજા ભાગનો નકશો શરનસિંહ પાસે છે. જોકે અ‍ે નકશો શેનો છે અ‍ે વિશે સિગાવલ, પૂરણસિંહ કે પૃથ્વીસિંહને પણ ખબર નથી!આખરે જશવંતસિંહ ખૂદ શરનસિંહના કૅમ્પે આવીને આશકાને છોડવાના બદલામાં અ‍ે ત્રીજા ભાગની માંગણી કરે છે. સિગાવલ નકશાના બે ભાગનો અભ્યાસ કરી જણાવે છે કે ત્રીજો ભાગ મળશે તો પણ નકશો પૂરો નહીં થાય. ત્રીજો ભાગ મળ્યા પછી પણ અ‍ેક કાપલી ખૂટશે. જશવંતસિંહ ગૂંચવાય છે.

      આખરે સિગાવલ અ‍ેને શરનસિંહ હયાત નથી અ‍ેવી માહિતી આપીને પોતે અ‍ેમને નકશાની જગ્યાઅ‍ે પહોંચવામાં મદદ કરી શકશે અ‍ેવું જણાવે છે. આટલું કહ્યા પછી અ‍ે કહે છે કે મારી મદદ માટે પીટર બેરીમૂરે મારી સાથે સોદો કરવો પડશે (સખીરામના ખૂનીનું નામ જણાવવું પડશે).

      આમ, જશવંતસિંહ સાથે સિગાવલ પીટરને મળવા જાય છે. સિગાવલ આશનાને મળે છે ત્યારે આશનાના માદળિયાની ચકતીમાં પેલા નકશાનો ભાગ મળે છે. પીટર કે જશવંતસિંહના હાથમાં અ‍ે ભાગ આવે અ‍ે પહેલાં સિગાવલ અ‍ે નકશાને સળગાવી દે છે. ગુસ્સે ભરાયેલા પીટર અને જશવંતસિંહને સિગાવેલ જણાવે છે કે અ‍ે નકશો સંઘારી તોડા નામની જગ્યાનો છે. તે અ‍ે લોકોને અ‍ે જગ્યાઅ‍ે લઈ જવા પણ તૈયાર છે. અમુક કલાકોમાં પૂરણસિંહ વગેરે પણ આશનાને છોડાવવા ત્યાં પહોંચી જાય છે. જયારે સિગાવલને ખબર પડે છે કે પીટર વગેરેનો સંઘારી તોડાઅ‍ે જવાનો અ‍ેકમાત્ર હેતુ શરનસિંહે છુપાવેલા ખજાનાને પ્રાપ્ત કરવાનો છે ત્યારે અ‍ે ખડખડાટ હસી પડે છે. કારણ કે, પૂરા રેગિસ્તાનમાં અ‍ેનાથી ભયાનક કોઈ વિસ્તાર નથી. અ‍ે મૂલકમાં માઈલોના માઈલો સુધી પાણી મળતું નથી, ઉપરાંત અમુક વિસ્તારોમાં રેતીના ખતરનાક ઢૂવા માણસને ગળી જવા તૈયાર જ હોય છે. આટલું પણ અધૂરું હોય અ‍ેમ ભયાનક સંઘારી દેહાતીઓના હુમલાનો ભય તો રહેવાનો જ. સિગાવલના મતે ખજાના માટેનો આ પ્રવાસ ‘પાગલ પ્રવાસ’ હતો. આમ છતાં આ પ્રવાસ થાય છે. અ‍ેમાં સામેલ થનારાં અલગ કારણો ઘરાવે છે, કોઈ ખજાનાના લોભથી જોડાયું છે, કોઈ પ્રેમના બંધનથી.

       ખજાનાની શોધના આ પ્રવાસમાં આગળ જતાં આ પ્લાનનો માસ્ટરમાઇન્ડ કર્નલ બર્નાડ હન્ટ, ચંદર ઝાલોટ (આ ચંદર ઝાલોટ કોણ અ‍ે પણ જાણવા જેવું છે😐) અને અનુપની પત્ની શ્રીદેવી પણ જોડાય છે. કુલ મળીને 40 જેટલા માણસોનો કાફલો પાણીની મશકો, કપડાં, તંબુ, હથિયારો અને દારૂગોળા સાથે રેગિસ્તાનની આ ભયાનક મુસાફરી આદરે છે. આવી આકરી મુસાફરી દરમિયાન સારાં નરસાં બધા પાત્રો જે યાતનાઓનો ભોગ બને છે અ‍ેનો કોઈ હિસાબ નથી. કોઈ કોઇ જગ્યાઅ‍ે વાંચતી વખતે પણ અરેરાટી થઈ આવે તો અ‍ેના પરથી ફિલ્મ બને તો દૃશ્ય જોવાનું તો દુષ્કર જ થઈ પડે. અ‍ે બઘુ વાંચીઅ‍ે ત્યારે ખ્યાલ આવે કે અશ્વિની ભટ્ટને લોખંડી વાચકોના લેખક કેમ કહેવામાં આવે છે.

         અ‍ે બધી યાતનાઓ કંઈ? 40માંથી કેટલાં લોકો ખજાના સુધી પહોંચે છે? શરનસિંહ જીવે છે કે નહીં? આવી આકરી મુસાફરી પછી ખજાનો મળે છે કે નહીં? અ‍ે બધા પ્રશ્નોના જવાબ માટે તો નવલકથા વાંચવી જ રહી.

આ નવલકથા જયારે ‘સંદેશ’માં ઘારાવાહિકરૂપે પ્રગટ થતી હતી ત્યારે અ‍ેના પ્રસ્તારને કારણે અ‍ેને બંધ કરીને અશ્વિની ભટ્ટની જ બીજી નવલકથા 'નીરજા ભાર્ગવ' શરૂ કરવાનો નિર્ણય લેવાયો, અને આશકા માંડલના વાચકોઅ‍ે ફરિયાદના પત્રોનો ધોધ વહેવડાવ્યો હતો. અ‍ે વાત ઇતિહાસ બની ગઈ છે. અનેક વાચકોઅ‍ે આ નવલકથા વાંચીને અશ્વિની ભટ્ટને પત્રો લખ્યા છે, સૂટકેસ ભરાય અ‍ેટલા બઘા પત્રો. અ‍ેક લેખકનાં પુસ્તકોને આટલી મોટી સંખ્યામાં વાચકો મળે અ‍ેથી મોટો કયો ઍવોર્ડ, કઈ સાહિત્યિક સંસ્થા લેખકને આપી દેવાની હતી?

       અશ્વિની ભટ્ટની દરેક નવલકથાની જેમ અહીં પણ ભાષાની સરલતા, વર્ણનની સચોટતા, પ્લોટ પરનો ગજબનો કાબૂ વાચકો અનુભવી શકશે. અસાધારણ વિષયો પર લંબાણપૂર્વક લખવાની હામ ભીડવાનું કાર્ય બહુ અઘરું છે. મને ક્યારેક વિચાર આવે કે અશ્વિની ભટ્ટ જો અત્યારે યુવાન હોત તો એમણે પુસ્તકોની સાથે સાથે દિલઘડક વેબસિરીઝ આપી હોત.

આ નવલકથા પહેલીવાર મેં વીશેક વર્ષો પહેલા વાંચી હતી, ટીનએજમાં. આટલા વર્ષો પછી ફરી આ પુસ્તક વાંચવાની મજા પડી. સાર્થક પ્રકાશને ઉત્તમ કાગળમાં, અને ઉત્તમ છાપણી અને બાંધણી સાથે આ પુસ્તક પ્રકાશિત કર્યું છે એ ખૂબ ગમ્યું. કેટલાંક પ્રકાશકો ધૂમકેતુ વગેરે જેવા સર્જકોનાં અમર પુસ્તકો પણ રદ્દી કાગળમાં અને તકલીફદેહ છાપણી અને બાંધણી સાથે કરે ત્યારે રડવાનું મન થઈ આવે.

- હિતેષ જાજલ

Wednesday, 13 January 2021

ભાષાસજ્જતા

        ‘કોલાહલથી દૂર’ની સુંદર અક્ષરો સાથેની સ્વચ્છ હસ્તપ્રત પ્રવીણ પ્રકાશનના ગોપાલભાઇને સોંપ્યા પછીના અમુક દિવસોમાં હું ત્યાં ગયો ત્યારે એમણે એ હસ્તપ્રતની ટાઇપ પ્રૂફવાચન થયેલી કૉપિ મને જોઈ જવા માટે આપી. ઘરે જઈને પ્રૂફવાચકના સુવધુરા સાથેની એ કૉપિ મેં વાંચવા માંડી. જેમ જેમ વાંચતો ગયો એમ એમ ગુજરાતી ભાષાનું એક નવું જ સ્વરૂપ મારી સામે ઉઘડવા લાગ્યું. હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈ વગેરે જેવી અનેક ભૂલો તો જોડણીકોશની મદદથી મારી હસ્તપ્રતમાં મેં સુધારી જ લીઘી હતી, છતાં બીજી કેટકેટલી નાની-મોટી ભૂલો એમાં સુધારેલી હતી! કોઇ યુવતી બ્યૂટી પાર્લરમાંથી વઘું સુંદર થઈને બહાર નીકળે એવું લાગી રહ્યું હતું. એ કૉપિ તપાસીને લેખક કે અનુવાદક જ કરી શકે એવા થોડા ઘણા સુધારા સૂચવીને હું ફરી ગોપાલભાઇને મળ્યો ત્યારે સુંદર પ્રૂફવાચન બદલ મારો રાજીપો વ્યકત કરતાં મેં પ્રૂફવાચક વિશે પૂછયું. એમણે કહયું, ‘અમારી પાસે અનેક લેખકો આવતાં હોય છે. એમની પાસે અનુભવ હોય, કલ્પનાશકિત હોય, વિચારક્ષમતા હોય, પણ બઘાં પાસે એકસમાન ભાષાકૌશલ્ય ન હોય એ સમજી શકાય એવી વાત છે. એટલે જ તો પ્રૂફવાચકની જરૂર પડે છે. તમારા પુસ્તકનું પ્રૂફવાચન નટુભાઇ રાજપરાએ કરેલું છે. અત્યારે એમની ઉંમર ૮૯-૯૦ વર્ષની છે. ચાલીશેક વર્ષો પહેલાં, તેઓ પ્રોફેસર હતા ત્યારે થોમસ હાર્ડીનું આ પુસ્તક અભ્યાસક્રમમાં હતું. એ સમયે પહેલી વાર એમણે આ પુસ્તક વાંચેલું તે આટલાં વર્ષો પછી તમારા ભાવાનુવાદરૂપે આ પુસ્તક ફરી એમની સામે આવ્યું. સામાન્યપણે તેઓ કોઈ પુસ્તકનાં જલદી વખાણ ન કરે, પણ આ વખતે એમણે સામેથી જ મને કહયું કે તમે સરસ ભાવાનુવાદ કર્યો છે. એમને ગમ્યો છે.’ 

             નટુભાઇએ કેવા કેવા સુધારા કર્યા? હું લખું ‘આત્મસાત’; નટુભાઇ સુધારીને લખે ‘આત્મસાત્’. હું લખું ‘લગ્ન શું ચીજ છે...’; નટુભાઇ સુધારીને લખે ‘લગ્ન શી ચીજ છે...’. હું લખું ‘દેખાવમાં સામ્યતા હતી.’; નટુભાઇ સુધારીને લખે ‘દેખાવમાં સામ્ય હતું.’. આવી અનેક ભૂલો હતી. એમાંથી કેટલીક મહત્ત્વની અહીં સુધારા સાથે મૂકું છું. કૌંસ બહારના શબ્દો મારા છે અને કૌંસમાં રહેલા સુઘારા નટુભાઇના. શ્રાપ આપવાનું (શાપ આપવાનું), શૈતાન (શયતાન), નિંદ્રા (નિદ્રા), બેન-બનેવી (બહેન-બનેવી), એમાનું પરિવાર (એમાનો પરિવાર), બોલ્ડવુડ જેવા વ્યકિતને (બોલ્ડવુડ જેવી વ્યકિતને), તમે હવે જાવ. (તમે હવે જાઓ.), હું સીઘી મૂળ વાત પર આવું. (હું સીઘો મૂળ વાત પર આવું.), એ સમયે આપણે કયાં હશું? (એ સમયે આપણે કયાં હોઇશું?), ભકતગણ ઊભું થયું. (ભકતગણ ઊભો થયો.), બેંડબાજાં (બૅડવાજાં), હું કંઈક મોકલાવું છું. (હું કંઈક મોકલું છું.), એણે કપડાં બદલાવ્યાં. (એણે કપડાં બદલ્યાં.), શું જવાબ દેવો? (શો જવાબ દેવો?), એકવાર (એક વાર), ગઇકાલે (ગઇ કાલે), આમપણ (આમ પણ), ત્યાંજ (ત્યાં જ), જો કે (જોકે)... આ ઉપરાંત અનુસ્વારની ભૂલો તો બેહિસાબ હોય! ૨૦ ટકા જેટલું અનુસ્વારનું જ્ઞાન તો સરેરાશ વાચકોમાં પણ હોય છે, પણ અનુસ્વારના કેટલાક સુધારા મને સમજાતા નહોતા! અત્યારે પાંચેક મહિનાઓ પછી અનુસ્વારના એ બઘા નિયમો વાંચી લીઘા પછી અને ઘણે અંશે એ નિયમોને આત્મસાત્ કર્યા પછી મને મારી જ ભૂલો પર હસવું આવે છે. દા.ત. ધારો કે મારાં બે વાકયો મારાં અનુસ્વાર સાથે આમ હોયઃ “થોમસ હાર્ડી લોકપ્રિય બની રહ્યાં હતાં.” અને “તેઓ આઠ વર્ષના થયા ત્યાં સુઘી એમનાં માતા જ એમનાં શિક્ષકા બની રહ્યાં હતાં.”, તો પ્રૂફવાચન પછી ઉપરના પહેલા વાકયને અંતે રહેલા બે શબ્દોઃ ‘રહ્યાં હતાં’ નાં અનુસ્વાર દૂર થઇ જાય અને બીજા વાકયને અંતે રહેલા એ જ પ્રકારના બે શબ્દો ‘રહ્યાં હતાં’ પરનાં અનુસ્વાર ચાલું રહે! 

            આ પ્રકારની પ્રૂફવાચન થયેલી કૉપિ પસ્તીમાં જતી હોય છે. ભાષાસજજતાના તાલીમ વર્ગોમાં એ પાઠયપુસ્તક તરીકે ખપમાં આવી શકે. અનુસ્વારની કે બીજા પ્રકારની ભૂલો ભાષાસજજતા છતાં કયારેક લખાણમાં રહી જતી હોય છે તો કયારેક નજરમાં આવતી નથી. દેખીતી રીતે જે લખાણ સાચું લાગતું હોય એમાં પણ અનેક પ્રકારની ભૂલો રહી જતી હોય છે, અને જીતેન્દ્ર દેસાઇ કહે છે એ મુજબ કયારેક પાંચમી વારનું પ્રૂફ પણ સંતોષજનક ન લાગે. ફેસબુક પર સુવાકયો ટાંકતી વખતે પણ અમુક લોકો, અમુક લેખકો સુધ્ધાં, ‘આત્મસાત્’ લખતી વખતે ખોડો ‘ત્’ કરતાં નથી. સંયકતાક્ષર (જોડાક્ષર) લખવાની વ્યવસ્થિત તાલીમ શાળામાં અપાતી ન હોવાથી સરેરાશ ગુજરાતી ‘શ્રદ્ધા’ લખવાને બદલે ‘શ્રધ્ધા’ જ લખે છે. ખોડો ‘દ્’ અને ‘ધ’ જોડાઇને ‘દ્ધ’ અક્ષર બને એવો ખ્યાલ હોય તો અમુક જગ્યાએ ટાઇપ કરતી વખતે ‘દ્ધ’ અક્ષર કયાંય શોધવા જવું ન પડે. 'શ્રદ્ધા'ને 'શ્રધ્ધા' લખવાને કારણે જ્યારે વિશેષ નામ તરીકે 'શ્રદ્ધા'નું અંગ્રેજી કરવાનું આવે ત્યારે પણ જોડણીમાં ભૂલ પડે. 

            ૧૯૯૪માં હું દશમા ઘોરણમાં અભ્યાસ કરતો ત્યારે ગુજરાતીના પાઠયપુસ્તકમાં આવતી ‘લોહીની સગાઈ’, ‘જુમો ભિસ્તી’ કે ‘સેલ્વી પંકજમ્’ જેવી વાર્તાઓ મને એેટલી હદે ગમી ગઈ હતી કે એ વાંચતાં વાંચતાં જ સાહિત્ય અને વાચન સાથે કયારે સંબંધ બંધાઈ ગયો એની મને પણ ખબર ન પડી . અત્યાર સુઘીમાં આશરે નહીં, પણ રેકોર્ડ તપાસીને કહું તો મેં ૧૦૦૦થી વધુ પુસ્તકો વાંચ્યાં છે. કોઇને આ આંકડો મોટો લાગી શકે, કોઇને નાનો. આટલાં વર્ષોમાં પુસ્તકોનો સંપર્ક કયારેય છૂટયો નથી કે સાહિત્ય પ્રત્યેની મારો લગાવ જરાય ઘટયો નથી; એ લગાવ વઘ્યો છે અને વધતો રહે છે. આમ છતાં ભાષાસજજતા પ્રત્યે મેં ખાસ ઘ્યાન આપ્યું નહોતું. પપ્પાનો અભ્યાસ ૪ ઘોરણ સુઘીનો. મમ્મીએ ઓલ્ડ એસ.એસ.સી સુઘીનો અભ્યાસ કરેલો અને શિક્ષણનું મહત્ત્વ સમજતાં એટલે હું ખૂબ અભ્યાસ કરું એવી એમની ઇચ્છા હતી. ભાષાસજજતા વિશે બાળપણમાં મને ખાસ તાલીમ મળી શકી નહીં, અને અધૂરામાં પૂરું ગુજરાતી સાહિત્યનાં અનેક પુસ્તકોનું વાચન કર્યું હોવા છતાં કૉલેજમાં મેં અંગ્રેજી વિષય રાખ્યો. આને લીધે ગુજરાતી વ્યાકરણ કાચું રહ્યું અને અમુક જોડાક્ષરો લખવાથી લઇને અનુસ્વાર વગેરે જેવી બાબતોમાં હમણાં સુધી મને તકલીફ રહી. 

           આ પુસ્તક પ્રકાશન અને પ્રૂફવાચનની પ્રક્રિયામાંથી પસાર થયા પછી, ભાષા પ્રત્યેની મારી સભાનતામાં અનેકગણો વઘારો થયો છે. ૧૯૯૯ માં કૉલેજના પ્રથમ વર્ષ દરમિયાન લખેલી મારી પ્રથમ વાર્તા ‘દાદા’ નવચેતન સામયિકમાં છપાઇ હતી. આજે પણ કોઇ એ વાર્તા વાચે તો ચંદ્રકાંત બક્ષીની અસર એમાં દેખાઈ આવે. ૨૦૧૨માં મમતા સામયિકમાં ‘મહેશ્વરી’ નામની વાર્તા છપાઇ હતી. કુલ દશેક જેટલી જ વાર્તાઓ આટલા લાંબા સમયમાં મારાથી લખી શકાઈ છે. ભાષાસજજતા સાહિત્યસર્જન જેવું નથી કે બધા ન કરી શકે. હા, એ થોડી ઘણી મહેનત અને ખંત જરૂર માગે છે. આ માટેના તાલીમ વર્ગોમાં ભાગ લીઘો હોય તો ભાષા વિષયક સજજતા કેળવી શકાય છે. અને વળી જો સાહિત્યિક સર્જનોને માત્ર સુધારી જ નહીં પણ માણી પણ શકતા હોય એવા અનુભવી અને ખુલ્લાં મનના એક-બે પ્રૂફવાચકો જીવનમાં મિત્ર તરીકે મળે તો ઉત્તમ. 

 ભાષાસજજતાથી તમે કદાચ લેખક નહી બની શકો. સાહિત્યસર્જન ઘણે અંશે જન્મદત્ત મળેલી બક્ષિશ સમાન છે. અને વળી સર્જકોની સર્જનાત્મકતામાં ફરક હોય છે. કોઇક વર્ષમાં બે-ત્રણ પુસ્તકો, એ પણ વળી ગુણવત્તાયુક્ત, વિના આયાસે લખી શકે છે તો કોઇકને એક નબળું પુસ્તક લખવામાં પણ યાતનાનાં અનેક વર્ષો વીતી જાય છે. ભાષામાં નિપૂણતા મેળવવાથી કદાચ તમે ‘વૈષ્ણવજન તો તેને રે...’, ‘તિલક કરતાં ત્રેપન થયાં...’, ‘ડગલું ભર્યું કે ના હઠવું ...’, ‘વ્યકિત મટીને હું બનું વિશ્વમાનવી...’, ‘જયાં જયાં નજર મારી ઠરે...’ ‘તને ઝંખી છે યુગોથી ઘીખેલા પ્રખર સહરાની તરસથી’ ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં...’ જેવી પંકિતઓ કે મિયાં ફૂસકી, સરસ્વતીચંદ્ર, અલીડોસા, ભદ્રંભદ્ર, ગોપાળબાપા, તિલક, કે અમરત કાકી જેવાં અમર પાત્રો કે ‘સૌરાષ્ટ્રની રસઘાર’, ‘માનવીની ભવાઇ’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘લીલૂડી ઘરતી’, ‘ગ્રામલક્ષ્મી’, ‘સાત પગલાં આકાશમાં’, ‘આકાર’, ‘પેરેલિસિસ’, ‘આંગળિયાત’, ‘વિચારોના વૃન્દાવનમાં’, ‘ઓતરાતી દીવાલો’, ‘સહરાની ભવ્યતા’ કે ‘અમાસના તારા’ ‘ઊપરવાસ’ કથાત્રયી, ‘પ્રિયજન ‘તત્ત્વમસિ’, ‘અકૂપાર’ જેવા ઉત્તમ કક્ષાનાં પુસ્તકો વગેરેનું સર્જન ન કરી શકો, પણ આવાં સર્જનોનાં ઉત્તમ વાચક તમે અવશ્ય બની શકશો. એથી માતૃભાષા પદ્ધતિસર શીખ્યાનું ગૌરવ પણ અનુભવાશે અને તમારા આત્મવિશ્વાસ અને લોકો તરફથી મળતાં સમ્માનમાં પણ ખસૂસ વઘારો થશે જે તમારા ક્ષેત્રમાં પણ અનેક રીતે ઉપયોગી પુરવાર થઈ શકે.

Sunday, 29 November 2020

Thomas Hardy in Gujarati

This lockdown of 2020 gave me resume the translation of Thomas Hardy's famous novel - a love story - 'Far From the Madding Crowd' The translation finished in two-three months and the tough thing was proofreading. I read my own book so many times that now when it is published by Pravin Prakashan, Rajkot, I will do anything but reading it again. 


The book is available at www.pravinprakashan.com

In Gujarati the title is: Kolahalthi Door'.

Saturday, 11 July 2020

અ‍ેક ફિલ્મની કનડતી સ્મૃતિઓ – હિતેષ જાજલ

      ૧૯૬૫માં બનેલી અ‍ે ઑફબીટ ફિલ્મ ૧૩-૧૪વર્ષની કાચી વયે પહેલીવાર દૂરદર્શન પર જોઈ હતી. ૧૯૯૨-૯૩ની સાલ હશે. સાત–આઠ વર્ષ વીતી ગયાં પછી અ‍ે ફિલ્મની સ્મૃતિઓ મને કનડવા લાગી. અ‍ે ફિલ્મની સ્ટોરી અને અ‍ેનાં દ્રશ્યો મને યાદ આવતાં ત્યારે અ‍ે ફિલ્મ ફરી જોવાની ઈચ્છા થઈ આવતી, પણ મને અ‍ે ફિલ્મના નામની પણ ખબર નહોતી. વળી ૧૩-૧૪ વર્ષની વયે આટલી જુની ફિલ્મનાં પાત્રોનાં નામ યાદ રાખવાનો વિચાર પણ કેમ કરીને આવે? મને બસ બેજ વસ્તુઓ યાદ હતીઃ ફિલ્મની પૂરેપૂરી સ્ટૉરી અને અ‍ે ફિલ્મનાં દ્રશ્યો જે મારા માનસપટલ પર પથ્થર પર થયેલા કોતરકામની જેમ કોતરાઈ ગયાં હતાં. અ‍ે સમયે ઈન્ટરનેટની શરૂઆત હતી. અ‍ેમાં પણ મેં કેટલાક સમય સુઘી અ‍ે ફિલ્મનું નામ સર્ચ કરવાની કોશિશ કરી, પણ સફળતા મળી નહીં, અ‍ેટલે કંટાળીને મેં સર્ચ કરવાનું જ છોડી દીઘું. કદાચ અ‍ે ફિલ્મ વિશે અ‍ે સમયે ઈન્ટરનેટ પાસે કોઈ માહિતી જ નહીં હોય અથવા તો સર્ચ માટે પણ મારી પાસે પૂરી માહિતી જ નહોતી. પછી યાદદાસ્ત પરથી મેં બઘાને – મિત્રોને, સંબંઘીઓનેે, પાડોશીઓનેે, ફિલ્મરસિકોનેે, લેખકોને, પત્રકારોને અને દરેક યુવાન, મઘ્યવયસ્ક અને બુઝુર્ગ વડીલોને – ફિલ્મની સ્ટૉરી કહેવા માંડી. કંઇકેટલાયે માણસોને મે અ‍ે સ્ટૉરી સંભળાવી હશે પણ કયાંયથી ફિલ્મનું નામ ન મળ્યું. કોઇઅ‍ે આત્મવિશ્વાસથી અમુક તમુક ફિલ્મોનાં નામ કહ્યાં. અ‍ે ફિલ્મો પણ હું જોઈ ગયો, પણ આ ફિલ્મ મળી નહીં. યાદદાસ્ત પરથી હું બઘાને જે સ્ટોરી સંભળાવતો અ‍ે આ મુજબ હતીઃ

     “અ‍ેક મઘ્યમવર્ગનો સાંઠેક વર્ષનો અ‍ેક વૃદ્ઘ અ‍ેક સામાન્ય કારકુન જેવી નોકરી કરી માંડમાંડ ઘર ચલાવે છે. ઘરમાં અ‍ેની પત્ની છે, અ‍ેક યુવાન દીકરો, દીકરી છે જે બંને કૉલેજમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત અ‍ેક નોકર પણ છે. પરિવાર માટે તનતોડ મહેનત કરતાં આ માણસની કાળજી કે નોંઘ લેનાર ઘરમાં કોઈ નથી, સિવાય કે નોકર. યુવાન સંતાનો ફિલ્મો, પાર્ટી અને પોતાની મોજશોખની વસ્તુઓમાં મશગૂલ છે અને પત્ની સંતાનોનાં સુખની ચિંતામાં. અઘૂરામાં પૂરું ઑફિસે બૉસ પણ આ વૃદ્ઘને સમયસર કંપનીઓના ઓર્ડર ન લાવવા કે સમયસર ઓફિસે ન પહોંચવા બદલ ઘમકાવ્યે રાખે છે. આવી પરિસ્થિતિમાં પણ વૃદ્ઘના ચહેરા પરની ઠંડક અને અવાજની નરમાશ અને બધાં સાથેનું અ‍ેનું સૌમ્ય વર્તન દિલને સ્પર્શી જાય છે. અ‍ે વૃદ્ઘ મઘ્યમવર્ગના અ‍ેવા પુરુષવર્ગનું પ્રતિનિઘિત્વ કરે છે જે કયારેય લુપ્ત થવાનો નથી.

       અ‍ેક દિવસ પત્ની જણાવે છે કે કપડાંવાળાને રૂપિયા અપાયા નથી અ‍ેટલે અ‍ેણે કાયદેસરની કાર્યવાહી કરવાની ઘમકી આપી છે. પછીના દિવસોમાં વકીલ તરફથી અ‍ેક પત્ર પણ ઘરે આવે છે ત્યારે અ‍ે ખોલ્યા વગર જ અ‍ે વૃદ્ઘે માની લીઘું કે અ‍ે પેલા કપડાંવાળાની જ નોટિસ હશે. બીજા દિવસે અ‍ે વૃદ્ઘ ઘરેથી નીકળે છે અ‍ે જ સમયે અ‍ેક વકીલની કાર અ‍ેના ઘર પાસે અટકે છે અને વકીલ ઘરનું બારણું ખખડાવી અ‍ે વૃદ્ઘ વિશે પૂછપરછ કરે છે. નોકર જણાવે છે અ‍ે તો હમાણાં જ ગયા. વકીલ પોતાની કાર ચલાવી આગળ જાય છે અને અ‍ે અકસ્માતે અ‍ે વૃદ્ઘ સાથે ભેટો થઈ જાય છે. વૃદ્ઘ વકીલને પેલો પત્ર દેખાડી પોતાનું નામ જણાવે છે અને કહે છે કે અ‍ે પગાર મળતાં જ કપડાંવાળાના રૂપિયા ચૂકવી આપશે, પણ વકીલના મગજમાં તો બીજી જ વાત ચાલતી હોય છે. અ‍ે પેલા વૃઘ્ઘને કહે છે, “હવે તમે તમારી ઑફિસે નહીં, પણ મારી ઑફિસે જઈ રહ્યા છો.” વૃદ્ઘ પોતાની ઘરપકડ થઈ હોય અ‍ેમ ડરી જાય છે; અ‍ે ઘણી આજીજી કરે છે, પણ વકીલ અ‍ેની અ‍ેક વાત પણ માનતો નથી. વકીલની ઑફિસે અ‍ે વૃદ્ઘને અ‍ેની જિંદગીનું સૌથી મોટું આશ્ચર્ય મળે છેઃ વૃદ્ઘના દૂરના અ‍ેક સંબંઘી નિઃસંતાન અવસાન પામતાં લાખો–કરોડો રૂપિયાની રકમ અ‍ેમને વારસામાં મળે છે! વૃદ્ઘ પહેલાં તો આ વાત માની જ શકતો નથી. અ‍ે મજાકમાં કહે છે, “જો મને આટલી મોટી રકમ વારસામાં મળી હોય તો અ‍ેમાથી મને જરા ૫૦૦ રૂપિયા આપો જોઈ.” વકીલ અ‍ેને અ‍ે જમાનાની સો સો રૂપિયાની મોટી મોટી પાંચ નોટો આપે છે. આખરે અ‍ેને માનવું જ પડે છે કે અ‍ેની કિસ્મત આડેનું પાંદડું ખસી ગયું છે. અ‍ે બહાર આવે છે. ચપરાસી અ‍ેના માટે કાર ઊભી રખાવે છે ત્યારે અ‍ે વૃદ્ઘ પેલા ચપરાસીને સો રૂપિયાની અ‍ેક નોટ બક્ષિશ પેટે આપે છે. ચપરાસી કંઈક આનાકાની કરવા જાય છે ત્યારે વૃદ્ઘ કહે છે, “મારી સાથે ચમત્કાર થઈ શકે તો તારી સાથે પણ કેમ ન થઈ શકે?”

     વૃદ્ઘને હવે નોકરી કરવાની કોઇ જરૂર રહી નથી. આમ છતાં નોકરીનો છેલ્લાં દિવસે અ‍ેક મસમોટો ઓર્ડર લાવીને બોસની કૅબિનમાં રજા લીઘા વિનાં જ પ્રવેશ કરે છે અને પેલાં ઓર્ડરનાં કાગળિયા બોસના ટેબલ પર ફેંકે છે. બોસ વૃઘ્ઘના આવા બેપવાહીભર્યા વર્તનની નોંઘ લે છે, પણ આટલાં મોટા ઓર્ડર લાવનારને કંઇ વઢાય થોડું? અ‍ે વૃદ્ઘનાં વખાણ કરવા પ્રયત્ન કરે છે, પણ વૃદ્ઘ તો બગાવતના મૂડમાં છે. રાજીનામું આપી, પગાર લઈ અ‍ે ત્યાંથી નીકળી જાય છે.

     ઘર ચલાવાની ચિંતામાં આખી જિંદગી વૃદ્ઘે વૈતરું જ કર્યું હતું. પોતાના શોખ, પોતાની ઇચ્છાઓ પૂરી કરવાનો અ‍ેને કયારેય સમય જ નહોતો મળ્યો. જિંદગીઅ‍ે હવે અ‍ેને અ‍ેવી તક પૂરી પાડી હતી. નોકરી છોડવાનો નિર્ણય આ દિશામાં પહેલું પગલું હતું. પછીના દિવસોમાં વૃદ્ઘ અ‍ે જ વકીલની મદદ લઈને રના સભ્યોને અ‍ેમની ઇચ્છા મુજબની બઘી વ્યવસ્થા કરી આપે છે. પત્નીને અ‍ેક મકાન લેવાની ઇચ્છા હતી. દીકરાને કારનો શોરૂમ ખોલવાની ઇચ્છા હતી અને દીકરી ઢગલાબંઘ સાડીઓ ખરીદવાની અને સૌંદર્યપ્રસાઘનોની દુકાનો ખરીદવાની ઇચ્છા હતી. આ ઉપરાંત અ‍ે બઘાંનાં બૅંક ખાતામાં અ‍ેક-અ‍ેક લાખ રૂપિયા પણ મૂકી આપ્યા છે.

     હવે બચ્યા વૃદ્ઘ પોતે. પરિવારજનોની ઇચ્છા પૂરી કરી અ‍ે લાંબી મુસાફરીઅ‍ે ઊપડી જાય છે. ટ્રેનમાં ટીસી આવે છે ત્યારે વૃદ્ઘને ખ્યાલ આવે છે કે પોતે ટિકિટ તો ઘરે જ ભૂલી ગયા છે. ટીસી કહે છે તમે ટિકિટ લીઘી જ નહીં હોય. વૃદ્ઘ કહે છે અ‍ેણે ટિકિટ તો લીઘી જ હતી. આમ કહી અ‍ે સ્ટેશનનું નામ પણ લે છે. ટીસી હસીનેે જણાવે છે કે અ‍ે ટ્રેન અ‍ે સ્થળે જતી જ નથી; અ‍ેણે ખોટી ટ્રેન પકડી છે. વૃદ્ઘ અ‍ેને અ‍ે ટ્રેન જયાં જતી હોય અ‍ે છેલ્લા સ્ટેશનની ટિકિટ આપવા જણાવે છે. ટીસી પણ સજ્જન છે, પણ વૃદ્ઘની આવી વાત સાંભળીને અ‍ે મજાક કરતો હોય અ‍ેમ કહે છે, “તમારે કયાં જવું છે અ‍ેની તમને પણ ખબર નથી અ‍ેવું લાગે છે!” વૃદ્ઘ કહે છે, “મારે કયાં જવું છે અ‍ેની તો મને ખબર છે, પણ મને અ‍ે જગ્યાના નામની ખબર નથી.” ટીસી અ‍ે જગ્યા વિશે વઘું પૂછે છે ત્યારે વૃદ્ઘ જણાવે છે કે અ‍ે કોઇ અ‍ેવી જગ્યાઅ‍ે જવા માંગે છે જયાં અ‍ેના આત્માને શાંતિનો અનુભવ થાય; અ‍ેવી જગ્યા જયાં અ‍ે સુખ–ચેનથી અમુક સમય વીતાવી શકે. ટીસી હવે અ‍ે વૃદ્ઘની મનોદશા સારી રીતે સમજી ચૂકયો છે. અ‍ે અ‍ેને અ‍ે જ રૂટ પર આવતા પોતાના ગામે જવાનું કહે છે. વૃદ્ઘ ત્યાં જવા તૈયાર થાય છે.

     ગામમાં પહોંચી વૃદ્ઘ અ‍ેક મોટું મકાન ભાડે લઈ લે છે. વૃદ્ઘે અમુક મહિનાનું ભાડું અ‍ેડવાન્સમાં ચૂકવી દીઘું છે અ‍ેથી આર્થિક ખેંચ અનુભવતાં મકાનમાલિક પણ રાજી થઈ જાય છે. મકાન કેટલાયે દિવસથી બંઘ છે. મકાનમાલિકને પરાણે વહાલી લાગી અ‍ેવી સુશીલ અને સમજદાર દીકરી છે જે આ મકાનની સાફસફાઈ કરી રહેવાલાયક કરી આપે છે. ભણીગણીને ડોકટર થવા માંગતી મકાનમાલિકની દીકરીની કૉલેજની ફી ભરવાના રૂપિયા પણ ઘરમાં ન હતાં. રૂપિયાની ખાસ જરૂર હતી અ‍ે સમયે જ વૃદ્ઘે ત્યાં પહોંચીને અ‍ેમને અ‍ેડવાન્સ ભાડું આપ્યું હતું તેથી મકાનમાલિકની દીકરી પોતે પણ વૃદ્ઘનો આભાર માને છે.

વૃદ્ઘને જેવા સ્થળની તલાશ હતી આ અ‍ેવું જ સ્થળ હતું. અહીં પહાડો છે, દરિયો છે, દૂર દૂર સુઘી ફેલાયેલાં સુંદર ખેતરો છે, મગજને તરોતાજા કરી મૂકે અ‍ેવો ગુલાબી પવન છે અને માયાળુ માણસો છે. અ‍ેક દિવસ દરિયો જોઈને પોતાના યુવાનીના દિવસો યાદ આવી જતાં વૃદ્ઘ તરવાનું સાહસ ખેડે છે, પણ આગળ જઈને થાકી જતાં ડૂબવા માંડે છે. સદ્ભાગ્યે ત્યાંથી અ‍ેક હોડી પસાર થઈ રહી હતી. અ‍ે હોડીનો નાવિક વૃદ્ઘને હોડીમાં ખેંચી લે છે. હોડીમાં અ‍ેક સ્ત્રી પણ છે. સુંદર છે, ભણેલીગણેલી છે, અને વળી ચિત્રકાર છે. અ‍ેને ગામનાં છોકરાંઓ માટે સ્કૂલ ખોલવાની ઇચ્છા છે. બીજી કોઈ સુવિધાના અભાવમાં વૃદ્ઘ પોતાના અ‍ે મોટા મકાનનો અ‍ેક ઓરડો ગામનાં બાળકોને ભણાવવા માટે અ‍ે સ્ત્રીને આપી દે છે.  વૃદ્ઘ સુખપૂર્વક પોતાનો સમય વ્યતીત કરવા માંડે છે. લોકો સાથે પરિચય વઘે છે. મકાનમાલિક સિવાય અ‍ેમના પાડોશી ઠાકુરસાહેબ છે જેમની સાથે વૃદ્ઘ અવારનવાર શતરંજ રમવા જાય છે. ગામમાં કોઇ રોગથી ખેડૂતોના બળદો મરવા લાગે છે ત્યારે વૃદ્ઘ પોતાના વકીલનો સંપર્ક કરી ગામમાં ટ્રેકટર લાવે છે. આમ ગામલોકો સાથે પણ સંપર્કમાં આવે છે.

     આ દરમિયાન વૃઘ્ઘના દીકરાઅ‍ે પોતાના ભાગના બઘા રૂપિયા ઉડાડી મૂકયા છે અને ધંધામાં પણ ખોટ ખાધી છે. બાઈબલમાં આવતી પેલી ‘ઘ પ્રોડિગલ સન’ની વાર્તામાં થાય છે અ‍ેમ વૃદ્ઘનો દીકરો આ ગામમાં આવી આવા માયાળુ પિતાને પોતે કયારેય સમજી ન શકયો અ‍ે બદલ માફી માંગે છે. હવે વૃદ્ઘનો દીકરો પણ ગામમાં રહીને ટ્રેકટર ચલાવી ખેડૂતોને ખેતી કામમાં મદદ કરે છે. મકાનમાલિકની દીકરી અને વૃદ્ઘનો દીકરો અ‍ેકબીજાની નજીક આવે છે. સમય પસાર થતો રહે છે. અમુક સમય પછી મકાનમાલિકની દીકરી શહેરમાં પોતાની પરીક્ષા આપવા જાય છે. ગામમાં હૉસ્પિટલ અને સ્કૂલ ખોલવાની વાતો થાય છે. વૃદ્ઘ અ‍ેમાં પોતાનો મોટો ફાળો આપે છે. ગામનાં લોકો પર વૃદ્ઘની છાપ અ‍ેક પરોપકારી માણસ તરીકેની છે, કારણ કે ઘણાં લોકોઅ‍ે અ‍ેમની કૃપાનો ફાયદો અ‍ેક યા બીજી રીતે મેળવ્યો છે. મકાનમાલિકની દીકરી ડૉકટર બનશે ત્યાં સુઘીમાં હૉસ્પિટલ તૈયાર થઈ જશે. પછી હૉસ્પિટલની જવાબદારી અ‍ે જ સંભાળશે.

      અ‍ેક દિવસ વાતવાતમાં વૃદ્ઘ પોતાના મકાનમાલિકને પોતાના દીકરા માટે અ‍ેમની દીકરીનો હાથ માંગે છે. મકાનમાલિક રાજી થઇને આ પ્રસ્તાવને સ્વીકારે છે. વૃદ્ઘનો દીકરો પોતાની માતા અને બહેનને પણ અહીં લાવવા શહેર જાય છે.

     આ સમય દરમિયાન પેલી ભણેલી સ્ત્રીનો બનેવી પોતાની આ સુંદર સાળી પોતાને કોઈભાવ આપતી નથી અ‍ે વાતનો બદલો લેવા ગામમાં અ‍ેવી અફવા ઉડાવે છે કે પેલા વૃદ્ઘ અને પોતાની સાળી વચ્ચે અનૈતિક સંબંઘો છે. વળી સંજોગો પણ અ‍ેવા બને છે કે પેલી ભણેલી સ્ત્રીને રાતે વૃદ્ઘના ઘરે સૂવું પડે છે. લાકો કશું અયોગ્ય ન વિચારે અ‍ેટલે અ‍ે રાત્રે પેલા વૃદ્ઘ પોતે પાડોશી ઠાકોરસાહેબને ત્યાં જ સૂઈ જાય છે. વૃદ્ઘને ચોખવટ કરવાની તક પણ આપ્યા વગર ગામાનાં લોકો અ‍ેને ખરી ખોટી સંભળાવે છે. વૃદ્ઘ ચાલતાં-ચાલતાં કયાંક દૂર નીકળી જાય છે. ઠાકોરસાહેબ વૃદ્ઘના મકાનમાલિક સામે ચોખવટ કરે છે કે અ‍ે રાત્રે અ‍ે વૃદ્ઘ મોડી રાત સુઘી પોતાની સાથે શતરંજ રમતા રહ્યા હતા અને પોતાને ત્યાં જ સૂતા હતા.

     બઘી ચોખવટ થઇ જતાં ગામલોકો અને મકાનમાલિક વૃદ્ઘના ઘરે માફી માંગવા જાય છે. વૃદ્ઘની પત્ની, દીકરો અને દીકરી પણ શહેરથી આવી ગયા છે. હવે બધાં અ‍ેમને શોઘવા નીકળે છે. આખરે અ‍ે અ‍ેક ઝાડ નીચે બેઠેલા મળી આવે છે. ગામનાં લોકો અ‍ેમની માફી માંગે છે, પણ હવે અ‍ે માફી પણ આપી શકે અ‍ેમ નથી, કારણ કે ગામલોકો ત્યાં પહોંચ્યા ત્યારે વૃદ્ઘનું ખોળિયું જ ત્યાં હતું, પ્રાણ તો કયારનોય જતો રહ્યો હતો.”

2016માં ફરી ઈન્ટરનેટ પર સર્ચ કરતાં મને આ ફિલ્મ મળી આવી. ફકત નામ અને વિગત જ નહીં, પણ યુટયુબ પર પૂરીપૂરી ફિલ્મ પણ મળી આવી. અને અ‍ેમાં ત્રણ કલાકારો ઘણા ખરા વિખ્યાત હતા. 

   એ ફિલ્મ કઈ હોઈ શકે? એની આઈડિયા?


 હિતેષ જાજલ


-

Tuesday, 26 November 2019

My Experiences in the Pool


It was my long-time dream to learn swimming as I always thought it to be one of those few most necessary lifeskills that one should master in one’s life. Last month (9th Oct., 2019, to be precise), I joined Swami Vivekanand Swimming Pool, near Pedak Road which is run by RMC. This is a three-month course. It has been great fun all along to put the body in the water for one full hour. It is something like playing golf; you enjoy it even if you don’t know how to play it. We have four coaches here: Siddharth sir, Vikram sir, Nachiket sir and Anand sir.
On the first day my coach, Nachiket sir, told me to just walk to and fro the width of the pool (21 metres) to make myself comfortable in the water and have some experience of underwater gravity. The depth at this end of the pool was merely 4 to 5 ft. Then there was bubble practice in which I was asked to take in deep breath, submerge myself completely into the pool water and breathe out the air in bubbles. During these two days I had already started practicing freestyle. On the fourth day, once we were through bubbling, floating, kicking, and diving, Siddharth sir explained us how to move hands in freestyle and why it was necessary to move them correctly. He gave the example of the oars of the boat (He used the nice Hindi word “patvar”). The oars propel the boat furthure by forcing the water backward.
This analogy of body as a boat and hands as oars worked with me and I did propel my body boat with my hand oars. Initially it gave a bit of confidence. But that confidence didn’t last long as one problem cropped up that bogged me down for more than two weeks and that was related to breathing and movement of the head. I was able to swim 10 to 15 metres but the bad thing was that I used to keep my head completely down under the water and hold my breath so at the end of 15 metres, my lungs became completely devoid of oxygen and carbon dioxide built up in them made me feel out-of-breath. I was somehow unable to take breathe during the swim. I saw some videos on youtube for whatever guidance I could have to get rid of this problem by learning a proper way to breathe. If someone asked me about the most difficult thing to master in swimming, I would say it is breathing while swimming. Most elite swimmers swim by keeping their face looking straight down, at the bottom of the pool and only turn their face to breathe. I tried to do the same, but what was easy to watch in the videos was difficult to do in practice. It is like a kid who learns how to ride a bicycle; if he focuses on governor, he forgets to pedal and if he focuses on the pedals, he forgets the governor. What to do? I saw others, my batch fellows, swaying their face both ways while swimming. But I was following the videos and the elite swimmers who never did that. At last I asked the coach, Vikram sir, who advised me to do the same as other biginners like me were doing: turn face sideways constantly while swimming so that my face remaind outside the water and I am able to breathe and swim longer distance.
I tried to do that but still movement of the neck was not satisfactory to the coaches. I thought maybe at 40, my neck and shoulder muscles have become too stiff to move correctly. However I continued the practice. But after a few days I felt I had reached a plateau where I was making no progress. I was getting frustrated as others were making progress. I was contemplating chucking up. I thought I have learned as much as I could. During these days, our coaches annonced the test and we were to swim entire length of the pool (i.e. 50m). I was not able to swim the width of the pool (21m) and here I was supposed to swim 50m! The middle of the pool had the depth of 8 to 9 ft. and the very thought that I would give up during that part made me more distraught. On that day I swam near the side of the pool and I finished the entire length with four stops. No doubt, it was a bad performance. However our coaches, observing us outside the water, shouted four suggestions to me during the test which proved quite useful later:
1.                             “Your legs are not working properly. Use your legs and kick properly.”
2.                             “Keep your body completely horizontal near the surface.”   
3.                              “Turn your head properly. Let your one ear and cheek submerge in the water when you move your hand and try to look towards the sky. That way you will be able to breath more freely ”    
4.                              “Don’t keep your body so stiff. Allow it to relax. Remember your position when you learned to float. Once you relax your body, you just have to move your hands and legs.”   
After the test I had a long discussion with my coach, Siddharth sir, on my problem and he repeated his advice with demonstration of head and neck movements. I thought maybe I should stop comparing myself with others who moved ahead of me and be happy as long as I am learning something on a daily basis that enhances my swimming style. I realised I should do more practice with correct guidance. I started practice again; this time with more fervour. And one day I felt that I could swim more than 15 metres because I was able to breathe in once or twice! There was no out-of-breath distress at the end. The following day, I swam 20 metres before I gave up and I felt that now I was able to move my head both the sides and breathe in while swimming. That very day I swam entire width of the pool (21 m i.e. 68 feet) at one go and all along I had been breathing, turning the head both the sides. I must admit it was a nice feeling.
This is an account of my one-and-a-half month swimming experience. Long ago I watched a movie named “The Curious Case of Benjamin Button” in which an old lady, around 50 or 60, fulfilled her dream to swim across English Channel (32 kms). Many people have done it. Recently I read about Sarah Thomas, 37 year old American lady, who swam across English Channel four times in a row in 54 hours. I hope I will be able to swim at least 100m before my three months come to an end.

     

Friday, 2 December 2016

As kids see it ...

The other day I was going to buy a TV, accompanied by my childhood friend's daughter, Drashti who is just seven years old studying in second standard. While we were passing by Indira Gandhi bridge near Ramnath Para, I showed her the chimney-pot of the crematorium emitting black smoke and asked her, "What is that?"

"It is Chimaney-pot of some factory." Said she.
I veered my bike towards the gate and asked, "Now tell me
what is this place?"

She saw the big statues of lord Shiva and heavenly apsaras and without wasting time replied, "Oh! It's the crematorium. I'm dying to see it from inside. I've told my dad for umpteemp times to take me there."

I temporarily postponed my plan to visit Sony Tv's outlet and we went inside. I showed her electric crematorium first. It had an embossed wall painting depicting the various stages of life from childhood to old age when a man becomes quite feeble and is ready to die. There were some people chatting idly here and there. She understood what black smoke, that the chimney was emitting, was.

Then we visited the part of crematorium where bodies were cremated with logs. There were four grilled beds for the cremation. I told her those who don't choose electric crematorium, they came there.

While we were loitering, watching other idols and prayer-room etc, I noticed Drashti had slipped into a plaintive mode.

I was just about to ask her why she kept a mum when she said: "I would never like any of my family members to leave me and get cremated."

I thought I should say some comforting words after exposing her to such facts of life, so I said, "You know, death is inevitable. People die when they are old and feeble. We cannot help it. That is a natural phenomenon."

"Yeah, true. Don't young people sometimes die and leave us, all of a sudden? Considering that it's natural that people die at old age...!!!" Said she

And I stopped walking, scratching my head and wondering, "Was it she that spoke those worldlywise words!!! Or some spook transported into her body was uttering those words to me!!!...?"

:-) :-) :-)


Monday, 7 March 2016

An old letter to niece


                                                              

ઘાટલોડિયા, અમદાવાદ

૫/૩/'૦૯
      
પ્રિય શ્રદ્ધા,

આજે બપોરે ઘરે આવ્યો ત્યારે પગથિયાં ચડતાં જ મારી નજર બદામના ઝાડ પર બેઠેલા બંદરો પર પડી. બદામ તો હતી નહી એટલે બદામનાં પાંદડાં તોડી-તોડીને ઝાપટતા હતા. રાજકોટમાં બંદરો આવી રીતે જોવા મળે નહિ. પ્રાણીસંગ્રહાલયે જ જવું પડે. અમદાવાદમાં તો સમયે-સમયે એમનો એક રાઉન્ડ લાગી જ જાય. સારું છે. સતત માણસોને જોતા રહ્યા પછી બંદરોને જોવાથી આખોને ઠંડક પહોંચે છે. આમ પણ આંખોને પરિવર્તન પસંદ પડે છે.

એમને જોઈને એક ક્ષણ તો મારા પગ થંભી જ ગયા. મને મારાં માસી યાદ આવ્યાં. માસા-માસી હમણાં જ વૃંદાવન ગયાં હતાં. ત્યાં એક મંદિર નજીક બંદરોના ટોળાએ એમને ઘેરી લીધાં હતાં. એ તો સુવિદિત છે કે વૃંદાવનમાં પંડાઓ અને બંદરો એક વાર ઘેરી લે એટલે કશુંક મેળવ્યા વિના છોડે નહિ. એક શરારતી બંદરે હસ્તકૌશલ્ય દાખવી માસીનાં ચશ્માં ખેંચી લીધાં. પણ ચશ્માં એને શાં કામનાં? એ વાતનું જ્ઞાન થતાં ફેકી દીધાં. કાચ તૂટવા જોઈતા હતા પણ તૂટી ફ્રેમ. એ બંદરે માસાને ચારસો રુપિયાનું ખરચ કરાવ્યુ! મને મારાં ચશ્માં ઉતારી નાંખવાનો વિચાર વ્યો. પછી થયુ કે આ બંદરો સજ્જન હોવા જોઈએ નહિંતર મને જોઈને અદબ રાખીને મારા માટે આમ રસ્તો ન કરી આપત.

થોડા દિવસો પહેલાં મેં ડિજિટલ કૅમેરા લીધો હતો. એ લાવીને એમના (બંદરોના) ૧૦-૧૫ ખૂબસૂરત ફોટાઓ ખેંચ્યા. મને તો આ પ્રવૃત્તિમાં ખૂબ જ મજા આવી; એમને આવી કે નહિ ખબર નથી. આ પત્ર સાથે એમાંથી ૨-૩ ફોટાઓ તને મોકલીશ.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં અમુક સમય પહેલા પ્રખ્યાત ફોટોગ્રાફર શ્રી પ્રાણલાલ પટેલ વિશે વાચ્યું હતું. એમણે હમણાં જ જીવનની શતાબ્દી પૂરી કરી. અને એ ખુશીમાં એમનું બહુમાન કરવા આ અખબારે અમુક દિવસો સુધી એમણે લીધેલા ફોટોગ્રાફ્સ છાપવાનું પ્રયોજન રાખ્યું હતું. એમાં પાંચ દાયકા પહેલાંના અમદાવાદને જોવાની ખરેખર ખૂબ મજા આવી હતી. કાળુપુર રેલવે-સ્ટેશન, કાકરિયા, દિલ્લી દરવાજા, માણેકચોક...... એક-એક સ્થળના બહેતરીન ફોટોગ્રાફ્સ કૅમેરાની આંખે એમણે આપ્યા છે. મને કૅમેરા લેવાની ઇરછા તો ઘણાં સમયથી હતી, પણ એમના વિશે વાંચ્યા પછી આખરે ખરચ કરી જ નાખ્યું. શરુઆત કરી અમદાવાદની જૂની અને જાણીતી એમ. જે. લાયબ્રેરીથી. એ તસવીર ખૂબ ફાઈન આવી છે. સમય મળે તો વધુ ખેડાણ કરવાની ઇરછા છે. હાથમાં બાઇક અને કૅમેરા હોય ને અમદાવાદ જેવું શહેર હોય તો પછી વિચારવાનું શું હોય? 

અમદાવાદ આવ્યા પછી ઘણીવાર વિચાર આવે છે કે નવી જગ્યાએ અજાણ્યા થઈને વસવાટ કરવાનો પ્રયોગ એક વાર તો કરવો જ જોઈએ. વૃક્ષની જેમ  એક જ સ્થળે જન્મીને એજ સ્થળે મરી જવાનુ આપણને કેમ પાલવે?

અમદાવાદ અને અમદાવાદીઓની છાપ ભલે ગમે તેવી હોય પણ અહીંના વાતાવરણની શાંતિ, ઠંડક, હૂંફ અને સાત્ત્વિકતાએ મારામાં ઘણું પરિવર્તન લાવી દીધું છે, શારીરિક અને માનસિક એમ બન્ને રીતે. રાજકોટની અને મિત્રો-સ્નેહીજનોની યાદોથી ખેંચાઈને હું ત્યાં પાછો જઈશ તો પણ અહીં સુખરૂપ પસાર કરેલો કાળ મરણપર્યંત ભુલાશે નહીં. પાંચસો વર્ષના તેજસ્વી વારસાના પ્રભાવથી આ શહેર દિવસ-રાત ઝળહળે છે. મને તો અહીં પાંચસો વર્ષ જૂના, ફેલાયેલા ઘટાદાર વૃક્ષ ની ગાઢ છાયામાં બેસવાની અનુભૂતિ થાય છે.

અમારા પ્યૂન - મહેશ - સાથે પણ અમદાવાદમાં ફરવાનું થાય. ૨૩-૨૪ વર્ષનો યુવાન છે. હમણાં જ એનાં લગ્ન થયાં છે અને બહુ ઉત્સાહી છે. કદાચ લગ્નનો હૅંગઓવર ચાલુ છે! અમુક દિવસો પહેલાં મેં એને રઘુવીર ચૌધરીને લખેલો પત્ર પૉસ્ટ કરવા આપ્યો હતો. એ ભૂલી ગયો. મેં પૂછ્યું તો કહે,"ગુલબાઈ ટેકરા ક્યાં આઘું છે? આપણા સેટેલાઈટવાળા સેન્ટરે જઈશુ ત્યારે રસ્તામાં એમના ઘરે જ રૂબરૂ આપી દેજો." મેં  કહ્યું, "એ વ્યસ્ત લેખક. મારાથી વગર પરવાનગીએ એમને ખલેલ ન પહોચડાય." એણે કહ્યું, તો તમે નીચે બાઈક પર જ રહેજો. હું આપી આવીશ. પછી એમ જ કર્યુ.

ગઈ શિવરાત્રિએ મારી ઇરછા જૂનાગઢ પહોંચી જવાની હતી. ાલિ ભાંગ પીવાની પણ  ઇરછા હતી. જૂનાગઢ જવાનું તો શક્ય ન બન્યું પણ ભાંગ તો અમદાવાદમાં પણ મળી શકે. મેં રૂપિયા આપી મહેશને ભાંગની વ્યવસ્થા કરવા મોક્લ્યો. એ આજુબાજુ ભટકીને ભાંગ વિના જ પાછો ફર્યો. કહે, આપણે બાઈક પર જ કામેશ્વર મહાદેવના મંદિરે જઈએ. ત્યાં પ્રવાહી સ્વરૂપે ભાંગ કે પછી લસોટેલી ભાંગની ગોળીની પણ વ્યવસ્થા થઈ જશે. કામેશ્વર મંદિરે ભાંગ તો મળી પણ પીધા પછી કમબખત નશો જ ન ચડ્યો. મહેશે તો પેલાને ભાંડવાનું શરૂ કર્યું: નશો કેમ ચડતો નથી? મહેશને ગુસ્સે થતો જોઈ પેલો મૂછોમાં હસતો-હસતો વિચારતો હશેઃ નશો ચડવા લાગ્યો છે!!!

અમદાવાદ આવ્યા પછી પહેલું કામ મેં અમદાવાદનો નકશો ખરીદવાનું કર્યું હતું. આ ઘર ભાડે લીધું એ તો બે મહિના થયા પછી. શરૂઆતના બે મહિના હું કાળુપુર રેલવે સ્ટેશન પાસેના રાજનગર ગેસ્ટ-હાઉસમાં રોકાયો હતો. ત્યાંથી જ નકશાની મદદથી હું કાંકરિયા તળાવ, લૉ-ગાર્ડન, પરિમલ ગાર્ડન, ગાંધી આશ્રમ (સાબરમતી આશ્રમ), વૈષ્ણોદેવી મંદિર, એમ.જે. લાઇબ્રેરી એમ ફરતો થયો. એ દિવસોમાં હું જેટલું ફર્યો એટલુ હવે ફરતો નથી. અમદાવાદ ભારતનું સાતમા નંબરનું મોટું શહેર છે, પણ મને આ વાત ગળે વાત ગળે ઉતરતી નથી. સાતમા નંબરનુ મોટું શહેર મને નાનું લાગે છે!

     બે મહિના સુધી હું અવઢવમાં હતો. મને ખબર નહોતી કે અહી લાંબો વસવાટ કરીશ કે પછી ઉચાળા ભરીને રાજકોટ રવાના થઈ જઈશ. પછી જયારે નિર્ણય કરી જ લીધો ત્યારે ભાડે મકાનની શોધ અખબારમાં શરૂ કરી. મમ્મી પણ રાહ જોતાં હતાં કે હું ક્યારે મકાનનું નક્કી કરું. સ્ટાફ-મિત્રો આ કામમાં ખાસ મદદ ન કરી શક્યા. ૨૬/૭/૨૦૦૮ના બૉંબ-બ્લાસ્ટ પછીના એ દિવસોમાં અમદાવાદમાં અજાણ્યા માણસ માટે ઘર ભાડે લેવું એક દુષ્કર કાર્ય બની ગયું  હતું. હોટેલો-ગેસ્ટહાઉસોમાં આઇડેન્ટિટીકાર્ડ વગર પ્રવેશ મળતો નહીં. છ-સાત મહિનામાં તો લોકો આવો કોઈ હુમલો થયો હતો એ પણ ભૂલી ગયાં છે. આખરે દલાલની મદદથી ભટકી-ભટકીને ૫-૭ મકાન જોયાં બાદ ઘાટલોડિયાનું આ મકાન મારી આંખોમા ઠર્યું. આ ટૅનામૅન્ટ છે. મકાન-માલિક નીચે રહે છે, ગ્રાઉન્ડ ફ્લોર પર. ઉપરના માળે અમે. મકાન-માલિક ઇન્કમ-ટૅક્સ ઑફિસર છે. એમને સંતાનોમાં બે દીકરીઓ અને એક દીકરો છે. મોટી દીકરીનાં લગ્ન અમદાવાદમાં જ થયાં છે. નાની સર્વિસ કરે છે. દીકરા (નિસર્ગ એનું નામ)ને મગજની બીમારી છે. ઉંમર સાથે શારીરિક વિકાસ થયો છે, માનસિક નહીં. શરૂશરૂમાં હું એને હીંચકા પર જ ઝૂલતા જોતો. કાં તો ફિલ્મોનાં ગીતોની કડીઓ લલકારતો હોય, અથવા તો અંગૂઠો ચૂસતો હોય. વાર્તાલાપ તો એની સાથે થઈ જ ન શકે. મેં એક વાર એને પૂછ્યું હતું, "કેમ છો?" એણે મને સામે પૂછેલું, "કેમ છો?" પછી મેં પૂછ્યું હતું, "પપ્પા છે ઘરે?" એણે મને સામું પૂછ્યું, "પપ્પા છે ઘરે?" અત્યાર સુધી એના તરફ્થી મને કોઈ તકલીફ થઈ નથી. હાં,  ક્યારેક રાત્રે એ બૂમો પાડવા માંડે ત્યારે ત્રાસ જરૂર થઈ આવે. રાતના બાર-એક વાગે પૂરી સોસાયટીમાં એની બૂમોના પડઘા પડે અને અધૂરામાં પૂરું ક્યારેક કૂતરાંઓ પણ એને સાથ આપતાં હોય એમ ભસવાનું શરૂ કરે અને મધરાતે હું ઊંઘમાંથી ઊઠી ગયો હોય એવું ઘણી વાર બન્યું છે. નિસર્ગની એક ખાસિયત છે; ઘરે આવેલ દરેકની સાથે તે હાથ મિલાવી સ્વાગત કરે, અચૂક. હમણાં જ આશિષ અને િજ્ઞાસાભાભી અમદાવાદ ભ્રમણ અર્થે નીકળ્યાં  હતાં અને ઘાટલોડિયાના અમારા મકાનનાં પ્રથમ અતિથી બન્યાનો રૅકોર્ડ એમનાં નામે થયો. નિસર્ગે જિજ્ઞાસાભાભી તરફ હાથ લંબાવ્યો હતો. ડરતાં-ડરતાં પણ પરાણે હસીને ભાભીએ પોતાના બે હાથ જોડી નમસ્કારથી પતાવ્યું હતું. ઉપર પહોંચ્યાં પછી મેં ભાભીને કહ્યું હતું, "શાંત માણસ છે. તમે હાથ મિલાવ્યો હોત તોપણ કંઈ ડર જેવું નહોતું." ભાભી બોલ્યાં, "પણ મને ડર લાગતો હતો કે હાથ પકડ્યા પછી ન છોડે તો?" મને થયું હતું  કે ભાભીને કહું કે એ બિચારો આશિષ જેટલો સમજદાર થોડો છે?

પત્ર લખવામાં ઘણો સમય ચાલ્યો ગયો. હજુ ઢગલાબંધ કામો પતાવવાના છે. આવતીકાલના પિરિયડ્સની તૈયારી કરવાની છે. આજનાં છાપાં વાચવાનાં છે. શરદબાબુનું જીવનચરિત્ર "આવારા મસીહા" પૂરું કરવાનું છે.... માટે વધુ આવતા અંકે.

તારા મમ્મી-પપ્પાને પ્રણામ. હેત્વીને મારા વતી રમાડજે.

પત્ર લખજે. જોકે રાહ તો હું તારી પણ જોઈશ. પત્રને બદલે તમે બધાં જ અમદાવાદ આવી જાઓ તો આનંદ આનંદ .....

બસ એજ.
                                                                             -હિતેષકાકા


Saturday, 29 August 2015

My grandma

          Kashiben Vallabhdas Vinchhi. That was the name of my grandma who left this world on last 25th of August at the age of 78. As I write this I remember all my childhood vacation days spent at Jamnagar, at my grandma’s home with my three uncles. That was 25-30 years ago.

         In our Indian households, a daughter’s son is always a special member of entire extended family and, no wonder, is spoiled accordingly. My three uncles were just like famous Uncle Ken of Ruskin Bond, eccentric, unmarried and always hard up for money. Still they pampered me with whatever they had. Sometimes they would take me with them to watch movies or showed me around the city, bought me candies and famous ghugharas of Jamnagar and would bring bicycle for me on hourly rent even though I didn’t know how to ride it.

         Whining and pestering and pressing grandma for daily pocket-money (char-anas or 25 paisa) or for some other things was a daily routine. One thing i liked to do was to observe grandma performing her daily chores. At that tender age, I loved to watch grandma taking out smoulding coals with tongs from the burning earthen hearth after the cooking was over and dropping them into a water container. I especially liked the sound of smoulding coals when they dropped into the cold water.

          Grandma enjoyed complete health during her lifetime. However, mentally she was not that sharp. As a child, I have observed that in her leisure time when there was nobody around except me, she would start muttering, with all her facial and manual gestures, her grievances and complaints to an imaginary group of sympathisers or her critics. I would jokingly ask her, “Who are you talking to, grandma?” and she’d stop for a while and would resume soon after.

            There was a friar, an old, healthy Brahmin with white beard clad in long white robe and dhoti and red topi who used to come daily to grandma’s home at noon for the alms. Grandma would give him a bowlful of wheat floor. I would never let her do that during the times I was there. I liked this old friar very much. I liked to watch his gesture of surprise and his exclamatory sentences with which he would welcome me on the very first day of my arrival: “Oho! So Rajkotians have arrived!”

            It was always fun being at grandma’s home. I waited for the vacation in order to be there. Apart from grandma and dotting uncles, there was one more person whose company I enjoyed: Anvar. The area where my grandma lived was heavily populated with Muslim families. Anvar’s family lived a few blocks away from grandma’s home. We became bosom friends when we were just 7 or 8. We were always seen together, played all sorts of games and talked about girls. He had a fair skin while I was wheatish. Once I asked him what I should do in order to have a fair skin like him and he suggested I should massage my face with goat’s milk. We chased goats together in order to get the milk, and I religiously followed his suggestion for a long time with no satisfactory result. I gave up the idea for good. Soon after 2002 riots, I happened to be at my grandma’s home. Once I was out with Anwar till midnight and grandma and uncles grew worried for me. When I returned, they told me, “You should not to loiter at late nights with Anvar. Who knows what will happen?” I replied I was not worried as long as I was with Anvar. The bond that bound us was too strong to be shaken by any riot on the name of any religion.

         Once when I was in sixth standard, I was taught how to make envelopes in the school. I not only prepared a makeshift envelope, but also wrote a letter to my grandma and sent it to Jamnagar. That I should put necessary stamps never crossed my mind at that time. I knew grandma’s address by heart. When the mail reached there, the postman charged the double amount to grandma which she happily paid considering that it was my first mail. My uncles kept that letter for a long time and then it was lost. I wish I had that letter.

          As I came of age, the charm to visit grandma home diminished. There were long intervals between our visits. Seven years ago, my uncles and grandma came to Rajkot. As they didn’t have wherewithal to buy a house of their own, they stayed with us.

           Last two years were much painful for her. Weakness had overcome her and now she muttered more than earlier. The doctors said she was losing her memory. She couldn’t tell the day. When I asked her, “Which day comes after Monday?” She couldn’t asnwer it correctly or she gave any random day as an answer. In a few months, she lost much of her vocabulary. She forgot the names of things. When she wanted to eat something, she couldn’t name it. We had to take a few names, if one of them fitted her demand, she would nod her head. She forgot people. However, she could remember the names of the family members. Pointing her finger at me, mummy would ask grandma, “Who is he?” “He is Hitesh.” pat would come the answer. We may forget entire world in our last days, but there are few names that remain intact in our memory storage.

            In her last days, she remained restless throughout the day. She complained of bedsore, her inability to move on her own, not being able to take a bath and change clothes on her own. When I saw mom spoon feeding her, I thought life is a circle and we have to finish it in one lifetime. We end up where we started from: feeble and helpless.

         When someone close to us dies, we remember the good that they did to us, the bad they did to us, the good that we did to them and the bad that we did to them. And we experience a strange mix of emotions of sadness, regret as well as joy.


           Every death teaches us something, open up an unknown aspect of life broadening the horizon of our understanding of life and death. Every death you encounter in your life, prepared you for your own death and you learn the art of “dying gracefully”. 

Saturday, 30 August 2014

On finding Mr. Right...

A chat on WhatsApp with a friend (FD).... on finding a long-lasting hubby

FD: Don’t know...Good hubbies are not available in the market.
HJ: That’s true, it’s meaningless to get married fast without getting Mr. Right. I
       believe it’s better to wait for the right person to come in our life than getting
       married to an idiot.
FD: True... As far as I am concerned I am more patient in this case
HJ: I appreciate that...but I do believe that one should get married. A happy marriage
      is a great gift a life can give us.
FD: And a sad marriage the worst curse.
HJ: Yeah...Marriage is a very important even in life. Naturally one has to be wise
      before selecting proper person.
FD: True.. Anyway I don’t have time to think about marriage
HJ: It’s a great feeling to come back to home and get hugs from children and spouse.
FD: Maybe
HJ: Single life at the age of forty goes without aim...even parents are no longer with
      us at that age.... No discipline...no compulsion from anyone...a rudderless ship...
      unless you have found your HIGH GOAL of serving people, country or
      downtrodden people... In the absence of any higher goal life at 50 may sound
      empty....
FD:  This is the only reason I give a thought to marriage...and sometimes work is so
        burdensome that it just comes to mind to get depended on someone...but these
       are very dangerous thoughts
HJ: They are not dangerous thoughts. They are reasonable thoughts. Of course, be
       ready to compromise with the image of your ideal partner. Just make sure the
       person is right and possess good qualities as a humanbeing. That’s all. And he will
       keep you happy till the last breathe.
FD: Anyway, I haven’t formed any image in my mind.
HJ: Then do... But do pass considerable period of time with the guy before getting
      married or rejecting him. One week, one month, or even one year and any time
      during this period you realise he is not suitable, don’t hesitate to reject. And if
      during this time you realise he is a husband material, be ready to tie the knot.
FD: Hmmm... actually I believe in divine power...When I am unable to work out the
       things, he manages the things, so someone whom I deserve will surely come to
       me. I am not searching for anyone or judging anyone.
HJ: Depending on divine power in matters like marriage is risky thing to do. And
       judging and searching are wrong words in this context. We are not talking about
       buying a product. We are talking about being cautious.
FD: But i doubt the role of being cautious and judging.
HT : In that case you should meet those who have got bad life-partners and they
        would tell you that they didn’t think much thinking about their spouse before
        getting married.
FD : I would think over all we discussed here……Now tell me when are you giving
        us good news.
HJ : Well I am waiting for divine power to play the role in this regard J

FD : He … He…. He…. J

Saturday, 19 April 2014

Brain Vs Heart

The Brain vs Heart is an age-old debate, yet to have any definite and final conclusions. When one is having any problem, one is often advised to follow one’s heart. But the mute point I want to raise here is: What is it to think with brain and to think with heart? Should we give free reign to our heart while deciding some of the most important decisions of our life?

Most people believe that those who think with their brain or mind are more often than not calculating or shrewd people, devoid of any feeling or sensitivity towards others. In contrast people who think with heart are supposed to be merciful and benevolent, devoid of any malevolent intentions towards any one. If we think deeply, we would realise how far we are from the truth vis-à-vis taking recourse to the brain and the heart.  In fact when one thinks of any issue with heart, one is bound to ignore some of the most important facts thereof. And here lies the danger. Ignoring some vital facts may be convenient for the present purpose but it may prove highly dangerous in the long term.

On the other hand, taking help of the brain or mind while tackling any problems help us see the problem in totality and think straight. Thinking with heart often hinders our capacity to reason. We feel like everything in the garden is rosy. The most important decisions of our life are not made with heart and heart alone. They are made with the brain. It doesn’t mean heart is not important at all. But one has to be cautious while taking recourse to the heart. Thinking with heart sometimes makes us do stupid things which not only harm our life but also the lives of the people whom we want to see happy.


In a nutshell, I can say that while there can be no denial of the role that heart plays in our life, what makes life hassle free and worth-living is the application of our ability to think clearly and that comes from the brain. It always pays to heed what our brain has to say on any given situation of our life. 

Saturday, 29 March 2014

English teachers and role of text-books and classroom activities

I have been teaching English for the last eighteen years and the question that has always puzzled me all these years is: Why, after learning English for so many years, do our students find it difficult to deal with the English language?  When it comes to expressing their ideas in English whether in writing or while conversing, they cut a sorry figure. How can this happen? In my opinion the answer lies with the kind of the syllabus we design for the learners. Long ago one my colleagues asked me what kind of reforms I wished in English subject text-books. I had replied the text-book which has less content is the best for the teacher and for the student as well. After all these years in English teaching I have realised that prescribed text-books, rather than proving helpful to the teacher, become a stumbling block to him. What is the role of a teacher? The role of a teacher is to make sure that his students learn the subject he is teaching and master it to a satisfactory level. But what is happening in the classrooms is completely distressing. We see English teachers busy teaching the units included in the text-books. Their primary worry is to complete the course! It is natural he diverts from his original role despite his strong desire to fulfil that role honestly. And what happens to the learners? They are tired memorizing the question-answers for the three-hour exams. Where is the romance of teaching and learning in this scenario?

Why is English or, for that matter, any language is taught in schools? What is the purpose? The purpose is to make the students competent enough to express their ideas at whatever forum which maybe an ordinary day-to-day conversation or appearing in the interview or delivering a speech at a particular occasion. But are they competent enough at the end of their schooling? English medium students have the edge over those studying in regional language medium schools because they have studied all subjects in English and have good command over vocabulary. It is often seen that the students coming from English medium schools adjust themselves without much problem to English medium colleges while those who took their education through regional language medium find it much more hellish adjusting to English medium colleges although initially. As the subject of this article is not the medium of education, I would not dwell much on that. Having said that I would like to add that parents who want their children to command a good mastery over English language, need not take this which-medium-is better- for-my-kid question too seriously.  Psychologically, it is proved that the use of mother tongue in schools makes the learning easier for the child at primary level. It also enhances cognitive growth.

While discussing the role of a teacher, Gandhiji, in his autobiography ‘The Story of My Experiment with Truth’, has noted that the teacher himself is a text-book. He believes that when text-books become mandatory ‘the living word of the teacher has very little value. A teacher who teaches from text-books does not impart originality to his pupils’. English or any language as a subject is quite different from other subjects taught in schools. While designing the course for any language, it is vastly important to keep in mind its utilitarian aspect. More so when it is English language which is completely different from Indian languages. A glance at our textbooks is enough to see that there is no leeway for the teacher’s role. He becomes just a pawn, always worrying about finishing the course before the due dates given to him. Now there may be times when the teacher wants to teach his students about a particular aspect of a language, but where is the time for that? As for the students, they are following what their teachers are teaching in the class. If they are supposed to memorise the questions-answers, they would happily or unhappily do it. They want to pass the exams with flying colours after all. This is a rut we teachers and our students have got into.

How does, then, an ideal English language classroom look like? In an ideal classroom a teacher should be given a leeway to conduct a class in the manner he wants. There should be less outside constraints on him. It is he who has to decide what his students would be learning and how. Once all these constraints are removed the teacher will feel the freedom and boost his confidence. He will have space to make new experiments with his students. He doesn’t need costly equipments to do these experiments, but he has at least a TV, a tape recorder and a DVD at his disposal. Classes would be more interactive because they would be filled with a lot of fun-loving activities where students will feel the warmth of the language. They will be aware of the utilitarian aspect of the language. Of course, the teacher will have to be more and more ingenious to make this possible. He will have to come out of the rut and take recourse to all types of material that can be helpful to him to make his class interesting and fruitful to the students. There are enough books available in the market that can help our English teachers to do so. Besides, there are regular training provided by different state-level teacher training agencies. The MHRD is also doing a lot to provide training to English teachers.   

As said earlier the role of a teacher is very important. We need talented teachers who are fully aware of how a language should be taught. Considering the dearth of such teachers it is important to make organise fruitful training programmes for them. During my short stint as a resource person (RP) for District Centre for English (DCE), Rajkot (Gujarat), I had opportunity to train English teachers of my district. While I did come across some brilliant teachers, there were may who themselves were poor English users. I wondered what would they be teaching to their students inside the classrooms if they themselves can’t speak English properly? Grammar was their strong point, but grammar isn’t the be-all and end-all of English language teaching (though none can deny its important). Grammar is just one aspect of learning English. If you master it, fine but other aspects should also be emphasised like pronunciation, vocabulary(graded according to the level), listening (songs, stories, interviews, serials, news, movies speeches, group discussions) reading (stories, essays, articles), speaking (simulations and role-plays, mock interviews, debates)  and writing (essays, articles, stories, songs, drama scripts). Such teachers should realise that it is the time they pulled up their socks and do some worthwhile with their students. Considering the teaching-aides in the form of CDs, games etc available in the market now, it doesn’t seem impossible to do. What we need is just will to do better.


When I think of an English teacher, I think of a teacher who knows his subject well and has complete plan on how to teach his subject to his students. I never doubt his capabilities. If he lacks the capabilities, I hope he will master it sooner or later. All I want for our teachers is freedom from the textbooks, partial if not complete. I have no doubt that given a chance to teach the language on his own terms, he would bring a sea change in their students covering all the aspects mentioned above. The only thing needed is teacher-friendly textbooks which allow a leeway to the teacher and give him freedom to follow his own course. And I am sure he would do wonder with the students.

Monday, 21 October 2013

Guests at Home

The other day while I was working on my pc in my room upstairs, I found that the dust-bin had been knocked down and all the rubbish was scattered on the floor. A bit surprised as no one except me visits this study-room, I put the rubbish back into the dust bin. The next day I noticed the same thing. The rubbish was scattered everywhere. Surely someone rummaged through the dustbin in my absence in search of something, I concluded. But who could do that? It didn't seem to be the handiwork of a rat. It was beyond his capacity to knock down the dustbin. It had to be something bigger. I searched the room to find the culprit but could find nothing.

The next day the same thing happened for the third time. I was forced to don the garb of Sherlock Holmes and search the room following some of his observation tactics described in his stories. This time the culprit had left the clue. And the clue was the poop of the cat, awfully smelly of course. I started searching for the cat and instead found three kittens in a corner. How pretty and cute they were! They looked like cubs (Sinhbal). They got frightened the moment they saw me. Two started running away from me. One hid itself in the corner behind the door. When I opened the door, it snuggled in the corner and closed its eyes as if I won't be able to see him if it closed its eyes! The other took stairs but fell down half the way, not being used to stairs. I wanted to get rid of them but this fear and flurry aroused pity in me. I made a way for the kitten that had fallen down on the stairs but it could not climb up. It was too small and weak to learn that. At last I had to pick it up in order to put him amidst its siblings.

When my mom came to know about them, her first reaction was: "We can't keep them up there or anywhere else in the house. You know, the entire house will be smelly with their poop and who will keep cleaning up all the time?" She opened the gate to drive them away with their mother. We saw two dogs outside. I said, "See, these dogs are ready to pounce upon them if we drive them out at this time. And the kittens are so small that they won't be able to run to save themselves." Thus, the kittens were allowed to stay till they are old enough to fend for themselves. In the meantime I enjoy their company and increase my knowledge on "Catology". After nearly a month, both the mother cat and kittens have put their faith in me. Now they don't run away from me as they did on our first meeting.

What I really enjoy is their behaviour. How they see things, what they do all day, how the mother cat cares for her young ones and how she trains them at night. Once they awoke me at 3 am by jumping on my bed during one such training session. When I give them something to eat, the cat would allow the kittens to eat and would just stand by them so that they can have the food without any fear. It is always mother that can take the real care of the young ones. Why? Maybe because for a mother, the young one is a part of her body literally, wherein the father has played a very minor role. Perhaps that's why it's said that God made mothers because he cannot remain present everywhere and every time.

Sunday, 1 April 2012

Dr Singh said that

I collected around 40 quotes by Dr. A K Singh during my two years of MA. I used to jot down any statement by Dr Singh that appealed me in my notebook.Enjoy.


1)"I don't do anything puposelessly."

2)"Life is very simple..Our problem is that we make it complicated.
who said it?...Buddha..."

3)"Our department does not produce mediocres...It produces either fully sane individuals or fully insane."

4) “My problem is that my students take me seriously when I am light”

5) “ A good student must be like a monkey. Am I right? Have you ever observed the way a monkey eats?”

6) “ Poetry is ‘thought and art in one’ I didn’t say it. Who said it?...It was idiot Matthew Arnold”

7) “Philosophers and mathematicians also fall in love…!...see the irony….Kant lost one world but for him another world was still there. You see, that was the difference …the difference between Kant and those idiots.”

8) “Tell me if I am boring you. I am doing the most sinful thing by doing so.”

9) “ If they(Refering to students who have bunked the class) are not doing more creative work outside then they should waste their time inside the class-room…instead of roaming on the campus…”

10) “ Criticism is very systematic. Once you go through it, then there is no problem”

11) “ Kids become very busy when their parents start talking about throwing old baggage.”

12) “ All these _isms( referring to Socialism, Communism etc) have short life. If the writer thinks of them while writing a book then it may create problem.”

13) “ We (Indians) are masters of duplicates.”

14) Every book has at least something for us to add.”

15. “ Is this point clear to you or you just nod your heads because you are tired and want to get rid of this point?”

16) “ My professor used to say if you don’t agree with the author, you should read the book again.”

17) “ Not understood? ….Confused?... Very good. Now let us understand Wordsworth bt making him complicated.”

18) “ If you want to do something in everything, you will end up with nothing, but if you wish to do something in onething, you can do anything.”

19) “ Today I feel mentally tired…tired and not retarted…!”
"
20) "These swamijis and priests can afford living on fruits. We can't."

21) "In western, people take side honestly, they are less hypocritical. We tend to live pragmatically."

22) "If you want to understand life, Buddha will help you. Nobody else."

23) "Roderigo was an utter fool, and all those who are in onesided love-affairs are fools"

24) "He(pointing to a student) is always mentally absent in the class...personally I don't dislike it,but do something creative while being absent the class-room"

25) "The problem with me(while learning computer basics) is that when the computer doesn't obey my command, I feel like breaking it."

26) "Things cannot be simpler than this. Many have commited suicide while learning Structuralism and Post-structuralism and many have done the samething while teaching it."

27) "How igoistical these people(Nehru, Jinnah...etc) were to serve the country! It is pity that
after indipendence the reign of our country fell in the hands of such people instead of the people like Chandrashekhar Azad, Bhagat Shingh,..Had it been so, the histo ry of India would have been diffent. But we can't do anything except discussing and making guesses."

28) " The problem is that you(students)don't read original essays(novels, poems etc)...and after all why you should read originals when your servants(guide wrriters..Raja Rao etc) are reading and explaining them to you"

29) "The paraphrase will always be at right side in your guides, as in life wrong things are always at right side."

30) "Don't look at my face. You will find ambiguity there all the time."

31) " You forget so early, so old things seem new."

32) "Whatever you are confused for, ask me. Don't remain confused."

33) " We should not complete 'Preface to Shakespeare' in just one day because if we did so, Dr Johnson will be angry with us."

34) "Whatever you do after MA is additional."


34) "(Pointing to medals on the cup-board in his chamber) These medals, you see, are not mine. One of my former students gave them to me to keep...Otherwise I have never won anything in life."