Sunday 23 January 2022

'આશકા માંડલ'. - અશ્વિની ભટ્ટ

 

     'આશકા માંડલ'ને ઘણા વાચકોએ અશ્વિની ભટ્ટની શ્રેષ્ઠ નવલકથાઓમાં સ્થાન આપ્યું છે. આ નવલકથા અશ્વિની ભટ્ટની શરૂઆતની નવલકથાઓમાંની અ‍ેક છે. નીરજા ભાર્ગવ, લજજા સન્યાલ, શૈલજા સાગર અને આશકા માંડલ, આ ચારેય નવલકથાઓ 1979માં પ્રગટ થયેલી. 456 પાનાંઓમાં ફેલાયેલી 'આશકા માંડલ' રાજસ્થાનની સંઘારી તોડા નામની જગ્યાઅ‍ે સંતાડવામાં આવેલ નાનાસાહેબ પેશ્વાના સત્તરસો કરોડના ખજાનાની શોઘમાં નીકળેલાંઓની કથા કહે છે.

આમ તો કથાનો સમયગાળો વીસમી સદીની શરૂઆતનો છે, પણ ખજાનાની વાત આ કથાને 1857ના વિપ્લવ સાથે જોડી આપે છે. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ચંબલને કિનારે આવેલ કારોલી રાજયનો પરાક્રમી રાજા શૂરજીતસિંહ માંડલ દેશને ગુલામીની જંજીરમાંથી મુકત કરવા વિપ્લવવાદીઓને સાથ આપે છે. વિપ્લવની નિષ્ફળતા પછી અ‍ેની સંપત્તિ જપ્ત થાય છે અને કારોલીની તેની પ્રજા પણ હાલાકીનો ભોગ બને છે.  અ‍ેક સમયનો રાજા હવે બાગી બની છુપાતો રહે છે. તેની પુત્રીના વિવાહ વખતે કર્નલ બેરીમૂર તેની ઘરપકડ કરે છે. અ‍ે વખતે તેનો પંદર વર્ષનો પુત્ર શરનસિંહ શૂરજીતસિંહના અન્ય બે વફાદાર માણસોની મદદ લઈને કર્નલની હત્યા કરીને પિતાને મુકત કરાવે છે. નાની ઉંમરે જ શરનસિંહ બાગી બને છે અને બ્રિટિશ થાણાઓ, ટ્રેઝરીઓ અને બ્રિટિશ તિજોરીઓ પર હાહાકાર મચાવે છે. આ શરનસિંહને નાનાસાહેબ તરફથી પેશ્વાનો ખજાનો મળેલો. હિંદુસ્તાનમાં આઝાદીનો વિપ્લવ ફરી થશે ત્યારે અ‍ે ખજાનો ખપમાં આવશે અ‍ેવી ઉમેદ હતી. આ શરનસિંહની પુત્રી તે આશકા માંડલ, આ નવલકથાની ખૂબસૂરત નાયિકા.

      જોકે આ બધો ઇતિહાસ ફ્લૅશબૅકમાં  આવે છે. કથાની શરૂઆત થાય છે નાયક સિગાવલ કેશીથી. તે રાજસ્થાનના હમીરગઢ નામના રાજયનો રાજકુંવર છે. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેના પિતાઅ‍ે 'અંગ્રેજ શહેનશાહની હાકલથી આ પારકા યુદ્ધમાં' જોડાવાનું પસંદ કર્યું છે અને પિતા સહિત તે અને તેનો મોટો ભાઈ અનુપસિંહ ફ્રાંસમાં છે. યુદ્ધમાં પિતાનું મૃત્યુ થતાં તેઓ અ‍ેમનો મૃતદેહ હમીરગઢ લાવે છે.

      અનુપને ગાદી સોંપવામાં આવે છે. દરમિયાન અ‍ેક દિવસ સિગાવલ ત્રિસેક માઈલ દૂર આવેલી થોરાડની વીરડી નામની જગ્યાઅ‍ે જાય છે. અહીં રેતની આંધી વખતે ઢૂવાની સરતી જતી રેતમાં અ‍ેક હાડપિંજર તેની નજરે ચડે છે. ખજાનાની શોધની આ કથાનો આરંભ અહીંથી થાય છે. સિગાવલ અ‍ે મૃતદેહ પરની અમુક - ચીજો પટ્ટો, રાઇફલ,ઘડિયાળ, માદળિયું - લઈને મહેલે પાછો ફરે છે. તેની ભાભી જયશ્રી અને અનુપ અ‍ે ચીજો પરનાં માંડલ રાજવંશનાં રાજચિહ્નો જોઈને જણાવે છે કે અ‍ે મૃતદેહ શરનસિંહનો હોઈ શકે. શરનસિંહ શ્રીદેવીના મામા થાય, અને આશકા શ્રીદેવીની બહેન. દરમિયાન રાજમહેલની લાયબ્રેરીના કારકુન સખીરામ પર જાનલેવા હુમલો થાય છે. સખીરામ જેવા માણસ પરના હુમલાનું કારણ કોઈને સમજમાં આવતું નથી, પણ તેના ટેબલ પર પડેલી હાથીદાંતની શિંગડી (આઇવરી હૉર્ન) ગાયબ હતી અ‍ે વાત નાયક સિગાવલના ધ્યાનમાં આવે છે. આ સખીરામને પછી હૉસ્પિટલમાં ઝેર પાઈને તેની હત્યા નિપજાવવામાં આવે છે. મરતા પહેલાં તે ‘આશકા...આશકા’ બબડતો હતો. બેક દિવસ પછી ગૂમ થયેલી હૉસ્પિટલની ઍન્ગ્લો-ઈંડિયન નર્સ રમોના જૅકબની પણ હત્યા થયેલી લાશ મળે છે અને કોકડું વધુ ગૂંચવાય છે. દરમિયાન પરિવારનો સૉલિસિટર સિગાવલના પિતાનો પત્ર લઈને આવે છે. આ પત્રમાં તેમણે સખીરામને કેટલાક મહત્ત્વના કાગળો અને હાથીદાંતની શિંગડી સાચવવા આપ્યાની વાત જણાવી છે. આ પત્ર યુદ્ધ દરમિયાન યુરોપથી જ લખાયેલો. અ‍ે પત્ર લખાયેલો ત્યારે કર્નલ બર્નાડ હન્ટ સિગાવલના પિતા સાથે જ હતો.

      આ કર્નલ બર્નાડ હન્ટ વળી સિગાવલના પિતાના અવસાન પછી હમીરગઢમાં પણ હાજરી આપે છે. ખજાનાની શોધના પૂરા પ્લાનનો અ‍ે માસ્ટરમાઇન્ડ છે અ‍ે હકીકત પછી સામે આવે છે. 35 વર્ષે લશ્કરમાંથી નિવૃત્ત થયા પછી અ‍ે વતન પાછા ફરવાને બદલે અ‍ે હિંદુસ્તાનમાં જ ધામો નાખીને રહ્યો છે. અ‍ેણે જ સખીરામનું ખૂન કરીને પેલી શિંગડી હાંસલ કરી હતી. ખજાનાની શોધમાં અ‍ેણે અ‍ેની ભત્રીજી સાન્દ્રા અને અ‍ેના મંગેતરને પીટરને પણ સામેલ કર્યાં છે. અંદરના ભાગમાં ત્રિશૂલના નિશાનવાળી હાથી દાંતની શિંગડી શરનસિંહના વફાદારો માટે અ‍ેક ગુપ્ત અ‍ેંઘાણી હતી. અ‍ે અ‍ેંઘાણી સાથે લાવનારની બધી વાત બિનસંકોચ સ્વીકારવામાં આવતી. સખીરામ પાસેથી પેલી હાથીદાંતની શિંગડી ચોરી લીઘા પછી કર્નલ બર્નાડ હન્ટનો પ્લાન શરનસિંહની દીકરી આશકા માંડલનું અપહરણ કરવાનો છે. આ માટે અ‍ે જશવંતસિંહ ઠાકુર નામના માથાફરેલ બાગીની મદદ લે છે.  છોકરીઓને ઉઠાવી જવાના કેટલાય ગુનાઓમાં અ‍ે સંડોવાયેલો છે. એનો સાથીદાર જેસો - નર-રાક્ષસ-  અ‍ેનો પડછાયો બનીને હંમેશાં અ‍ેની સાથે રહે છે.

       કર્નલ બર્નાડ હન્ટ આશકાનું અપહરણ કરાવીને ખજાના સુઘી પહોંચવા માંગતો હતો. શરનસિંહના છુપા કૅમ્પ સુધી પહોંચવા માટે અ‍ે પેલી શિંગડીનો ઉપયોગ કરે છે અને શરનસિંહના વફાદાર અ‍ેવાં જેસલમેરના રાજવીના સાળા પૃથ્વીસિંહ અને સખીરામની પત્ની જમના અ‍ેમ બંનેને અ‍ેક જગ્યાઅ‍ે મળવાનું જણાવે છે. સખીરામની પત્નીને કેટલોકો પોતાની સાથે લઈ જતાં જોઈને સિગાવલ ઘોડા પર તેમનો પીછો કરવા પ્રયત્ન કરે છે, પણ રસ્તામાં ઘાયલ થઈને બેહોશ થઈ જાય છે. અ‍ે હોશમાં આવે છે ત્યારે પોતાને શરનસિંહના કૅમ્પમાં જૂઅ‍ે છે. ત્યાં અ‍ે પહેલીવાર શરનસિંહની પુત્રી આશકાને જૂઅ‍ે છે અને અ‍ેના પ્રેમમાં પડી જાય છે. પૃથ્વીસિંહ અને જમના બેહોશીની હાલતમાં અ‍ેને ત્યાં લાવેલાં. વાર્તાલાપ દરમિયાન અ‍ે લોકોને ખ્યાલ આવે છે કે પૃથ્વીસિંહ અને જમનાને અ‍ેક જ જગ્યાઅ‍ે ભેગા કર્યાં પછી અ‍ેમના દુશ્મનોઅ‍ે અ‍ેમનો પીછો કર્યો હશે અને અ‍ેટલે અ‍ેમને આ કૅમ્પ વિશે ખ્યાલ આવી ગયો છે.

      અ‍ે જ સમયે જશવંતસિંહનો માણસ આશકાનું અપહરણ કર્યાનો સંદેશો લઈને આવે છે. સંદેશા નીચે સહી કરનાર પીટર બેરીમૂર છે - પંદર વર્ષની ઉંમરે શરનસિંહના હાથે જેનું ખૂન થયું હતું અ‍ે કર્નલ બેરીમૂરનો દીકરો . અહીં અ‍ેક નવું પાત્ર ઉમેરાય છેઃ પૂરણસિંહ. પૂરણસિંહ શરનસિંહનો વફાદાર છે, અને વળી આશકાને ચાહે છે. આશકાને છોડવા માટે પીટર બેરીમૂર કેવી સોદાબાજી કરશે અ‍ેનો વિચાર તેઓ કરતા રહે છે. પીટરને જોકે પિતાના ખૂનનો બદલો લેવામાં રસ નથી. અ‍ેને રસ છે ખજાનામાં. અ‍ે ખજાનાના નકશાના બે ભાગ અ‍ેમને મળ્યા છે, પણ ત્રીજા ભાગનો નકશો શરનસિંહ પાસે છે. જોકે અ‍ે નકશો શેનો છે અ‍ે વિશે સિગાવલ, પૂરણસિંહ કે પૃથ્વીસિંહને પણ ખબર નથી!આખરે જશવંતસિંહ ખૂદ શરનસિંહના કૅમ્પે આવીને આશકાને છોડવાના બદલામાં અ‍ે ત્રીજા ભાગની માંગણી કરે છે. સિગાવલ નકશાના બે ભાગનો અભ્યાસ કરી જણાવે છે કે ત્રીજો ભાગ મળશે તો પણ નકશો પૂરો નહીં થાય. ત્રીજો ભાગ મળ્યા પછી પણ અ‍ેક કાપલી ખૂટશે. જશવંતસિંહ ગૂંચવાય છે.

      આખરે સિગાવલ અ‍ેને શરનસિંહ હયાત નથી અ‍ેવી માહિતી આપીને પોતે અ‍ેમને નકશાની જગ્યાઅ‍ે પહોંચવામાં મદદ કરી શકશે અ‍ેવું જણાવે છે. આટલું કહ્યા પછી અ‍ે કહે છે કે મારી મદદ માટે પીટર બેરીમૂરે મારી સાથે સોદો કરવો પડશે (સખીરામના ખૂનીનું નામ જણાવવું પડશે).

      આમ, જશવંતસિંહ સાથે સિગાવલ પીટરને મળવા જાય છે. સિગાવલ આશનાને મળે છે ત્યારે આશનાના માદળિયાની ચકતીમાં પેલા નકશાનો ભાગ મળે છે. પીટર કે જશવંતસિંહના હાથમાં અ‍ે ભાગ આવે અ‍ે પહેલાં સિગાવલ અ‍ે નકશાને સળગાવી દે છે. ગુસ્સે ભરાયેલા પીટર અને જશવંતસિંહને સિગાવેલ જણાવે છે કે અ‍ે નકશો સંઘારી તોડા નામની જગ્યાનો છે. તે અ‍ે લોકોને અ‍ે જગ્યાઅ‍ે લઈ જવા પણ તૈયાર છે. અમુક કલાકોમાં પૂરણસિંહ વગેરે પણ આશનાને છોડાવવા ત્યાં પહોંચી જાય છે. જયારે સિગાવલને ખબર પડે છે કે પીટર વગેરેનો સંઘારી તોડાઅ‍ે જવાનો અ‍ેકમાત્ર હેતુ શરનસિંહે છુપાવેલા ખજાનાને પ્રાપ્ત કરવાનો છે ત્યારે અ‍ે ખડખડાટ હસી પડે છે. કારણ કે, પૂરા રેગિસ્તાનમાં અ‍ેનાથી ભયાનક કોઈ વિસ્તાર નથી. અ‍ે મૂલકમાં માઈલોના માઈલો સુધી પાણી મળતું નથી, ઉપરાંત અમુક વિસ્તારોમાં રેતીના ખતરનાક ઢૂવા માણસને ગળી જવા તૈયાર જ હોય છે. આટલું પણ અધૂરું હોય અ‍ેમ ભયાનક સંઘારી દેહાતીઓના હુમલાનો ભય તો રહેવાનો જ. સિગાવલના મતે ખજાના માટેનો આ પ્રવાસ ‘પાગલ પ્રવાસ’ હતો. આમ છતાં આ પ્રવાસ થાય છે. અ‍ેમાં સામેલ થનારાં અલગ કારણો ઘરાવે છે, કોઈ ખજાનાના લોભથી જોડાયું છે, કોઈ પ્રેમના બંધનથી.

       ખજાનાની શોધના આ પ્રવાસમાં આગળ જતાં આ પ્લાનનો માસ્ટરમાઇન્ડ કર્નલ બર્નાડ હન્ટ, ચંદર ઝાલોટ (આ ચંદર ઝાલોટ કોણ અ‍ે પણ જાણવા જેવું છે😐) અને અનુપની પત્ની શ્રીદેવી પણ જોડાય છે. કુલ મળીને 40 જેટલા માણસોનો કાફલો પાણીની મશકો, કપડાં, તંબુ, હથિયારો અને દારૂગોળા સાથે રેગિસ્તાનની આ ભયાનક મુસાફરી આદરે છે. આવી આકરી મુસાફરી દરમિયાન સારાં નરસાં બધા પાત્રો જે યાતનાઓનો ભોગ બને છે અ‍ેનો કોઈ હિસાબ નથી. કોઈ કોઇ જગ્યાઅ‍ે વાંચતી વખતે પણ અરેરાટી થઈ આવે તો અ‍ેના પરથી ફિલ્મ બને તો દૃશ્ય જોવાનું તો દુષ્કર જ થઈ પડે. અ‍ે બઘુ વાંચીઅ‍ે ત્યારે ખ્યાલ આવે કે અશ્વિની ભટ્ટને લોખંડી વાચકોના લેખક કેમ કહેવામાં આવે છે.

         અ‍ે બધી યાતનાઓ કંઈ? 40માંથી કેટલાં લોકો ખજાના સુધી પહોંચે છે? શરનસિંહ જીવે છે કે નહીં? આવી આકરી મુસાફરી પછી ખજાનો મળે છે કે નહીં? અ‍ે બધા પ્રશ્નોના જવાબ માટે તો નવલકથા વાંચવી જ રહી.

આ નવલકથા જયારે ‘સંદેશ’માં ઘારાવાહિકરૂપે પ્રગટ થતી હતી ત્યારે અ‍ેના પ્રસ્તારને કારણે અ‍ેને બંધ કરીને અશ્વિની ભટ્ટની જ બીજી નવલકથા 'નીરજા ભાર્ગવ' શરૂ કરવાનો નિર્ણય લેવાયો, અને આશકા માંડલના વાચકોઅ‍ે ફરિયાદના પત્રોનો ધોધ વહેવડાવ્યો હતો. અ‍ે વાત ઇતિહાસ બની ગઈ છે. અનેક વાચકોઅ‍ે આ નવલકથા વાંચીને અશ્વિની ભટ્ટને પત્રો લખ્યા છે, સૂટકેસ ભરાય અ‍ેટલા બઘા પત્રો. અ‍ેક લેખકનાં પુસ્તકોને આટલી મોટી સંખ્યામાં વાચકો મળે અ‍ેથી મોટો કયો ઍવોર્ડ, કઈ સાહિત્યિક સંસ્થા લેખકને આપી દેવાની હતી?

       અશ્વિની ભટ્ટની દરેક નવલકથાની જેમ અહીં પણ ભાષાની સરલતા, વર્ણનની સચોટતા, પ્લોટ પરનો ગજબનો કાબૂ વાચકો અનુભવી શકશે. અસાધારણ વિષયો પર લંબાણપૂર્વક લખવાની હામ ભીડવાનું કાર્ય બહુ અઘરું છે. મને ક્યારેક વિચાર આવે કે અશ્વિની ભટ્ટ જો અત્યારે યુવાન હોત તો એમણે પુસ્તકોની સાથે સાથે દિલઘડક વેબસિરીઝ આપી હોત.

આ નવલકથા પહેલીવાર મેં વીશેક વર્ષો પહેલા વાંચી હતી, ટીનએજમાં. આટલા વર્ષો પછી ફરી આ પુસ્તક વાંચવાની મજા પડી. સાર્થક પ્રકાશને ઉત્તમ કાગળમાં, અને ઉત્તમ છાપણી અને બાંધણી સાથે આ પુસ્તક પ્રકાશિત કર્યું છે એ ખૂબ ગમ્યું. કેટલાંક પ્રકાશકો ધૂમકેતુ વગેરે જેવા સર્જકોનાં અમર પુસ્તકો પણ રદ્દી કાગળમાં અને તકલીફદેહ છાપણી અને બાંધણી સાથે કરે ત્યારે રડવાનું મન થઈ આવે.

- હિતેષ જાજલ

Wednesday 13 January 2021

ભાષાસજ્જતા

        ‘કોલાહલથી દૂર’ની સુંદર અક્ષરો સાથેની સ્વચ્છ હસ્તપ્રત પ્રવીણ પ્રકાશનના ગોપાલભાઇને સોંપ્યા પછીના અમુક દિવસોમાં હું ત્યાં ગયો ત્યારે એમણે એ હસ્તપ્રતની ટાઇપ પ્રૂફવાચન થયેલી કૉપિ મને જોઈ જવા માટે આપી. ઘરે જઈને પ્રૂફવાચકના સુવધુરા સાથેની એ કૉપિ મેં વાંચવા માંડી. જેમ જેમ વાંચતો ગયો એમ એમ ગુજરાતી ભાષાનું એક નવું જ સ્વરૂપ મારી સામે ઉઘડવા લાગ્યું. હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈ વગેરે જેવી અનેક ભૂલો તો જોડણીકોશની મદદથી મારી હસ્તપ્રતમાં મેં સુધારી જ લીઘી હતી, છતાં બીજી કેટકેટલી નાની-મોટી ભૂલો એમાં સુધારેલી હતી! કોઇ યુવતી બ્યૂટી પાર્લરમાંથી વઘું સુંદર થઈને બહાર નીકળે એવું લાગી રહ્યું હતું. એ કૉપિ તપાસીને લેખક કે અનુવાદક જ કરી શકે એવા થોડા ઘણા સુધારા સૂચવીને હું ફરી ગોપાલભાઇને મળ્યો ત્યારે સુંદર પ્રૂફવાચન બદલ મારો રાજીપો વ્યકત કરતાં મેં પ્રૂફવાચક વિશે પૂછયું. એમણે કહયું, ‘અમારી પાસે અનેક લેખકો આવતાં હોય છે. એમની પાસે અનુભવ હોય, કલ્પનાશકિત હોય, વિચારક્ષમતા હોય, પણ બઘાં પાસે એકસમાન ભાષાકૌશલ્ય ન હોય એ સમજી શકાય એવી વાત છે. એટલે જ તો પ્રૂફવાચકની જરૂર પડે છે. તમારા પુસ્તકનું પ્રૂફવાચન નટુભાઇ રાજપરાએ કરેલું છે. અત્યારે એમની ઉંમર ૮૯-૯૦ વર્ષની છે. ચાલીશેક વર્ષો પહેલાં, તેઓ પ્રોફેસર હતા ત્યારે થોમસ હાર્ડીનું આ પુસ્તક અભ્યાસક્રમમાં હતું. એ સમયે પહેલી વાર એમણે આ પુસ્તક વાંચેલું તે આટલાં વર્ષો પછી તમારા ભાવાનુવાદરૂપે આ પુસ્તક ફરી એમની સામે આવ્યું. સામાન્યપણે તેઓ કોઈ પુસ્તકનાં જલદી વખાણ ન કરે, પણ આ વખતે એમણે સામેથી જ મને કહયું કે તમે સરસ ભાવાનુવાદ કર્યો છે. એમને ગમ્યો છે.’ 

             નટુભાઇએ કેવા કેવા સુધારા કર્યા? હું લખું ‘આત્મસાત’; નટુભાઇ સુધારીને લખે ‘આત્મસાત્’. હું લખું ‘લગ્ન શું ચીજ છે...’; નટુભાઇ સુધારીને લખે ‘લગ્ન શી ચીજ છે...’. હું લખું ‘દેખાવમાં સામ્યતા હતી.’; નટુભાઇ સુધારીને લખે ‘દેખાવમાં સામ્ય હતું.’. આવી અનેક ભૂલો હતી. એમાંથી કેટલીક મહત્ત્વની અહીં સુધારા સાથે મૂકું છું. કૌંસ બહારના શબ્દો મારા છે અને કૌંસમાં રહેલા સુઘારા નટુભાઇના. શ્રાપ આપવાનું (શાપ આપવાનું), શૈતાન (શયતાન), નિંદ્રા (નિદ્રા), બેન-બનેવી (બહેન-બનેવી), એમાનું પરિવાર (એમાનો પરિવાર), બોલ્ડવુડ જેવા વ્યકિતને (બોલ્ડવુડ જેવી વ્યકિતને), તમે હવે જાવ. (તમે હવે જાઓ.), હું સીઘી મૂળ વાત પર આવું. (હું સીઘો મૂળ વાત પર આવું.), એ સમયે આપણે કયાં હશું? (એ સમયે આપણે કયાં હોઇશું?), ભકતગણ ઊભું થયું. (ભકતગણ ઊભો થયો.), બેંડબાજાં (બૅડવાજાં), હું કંઈક મોકલાવું છું. (હું કંઈક મોકલું છું.), એણે કપડાં બદલાવ્યાં. (એણે કપડાં બદલ્યાં.), શું જવાબ દેવો? (શો જવાબ દેવો?), એકવાર (એક વાર), ગઇકાલે (ગઇ કાલે), આમપણ (આમ પણ), ત્યાંજ (ત્યાં જ), જો કે (જોકે)... આ ઉપરાંત અનુસ્વારની ભૂલો તો બેહિસાબ હોય! ૨૦ ટકા જેટલું અનુસ્વારનું જ્ઞાન તો સરેરાશ વાચકોમાં પણ હોય છે, પણ અનુસ્વારના કેટલાક સુધારા મને સમજાતા નહોતા! અત્યારે પાંચેક મહિનાઓ પછી અનુસ્વારના એ બઘા નિયમો વાંચી લીઘા પછી અને ઘણે અંશે એ નિયમોને આત્મસાત્ કર્યા પછી મને મારી જ ભૂલો પર હસવું આવે છે. દા.ત. ધારો કે મારાં બે વાકયો મારાં અનુસ્વાર સાથે આમ હોયઃ “થોમસ હાર્ડી લોકપ્રિય બની રહ્યાં હતાં.” અને “તેઓ આઠ વર્ષના થયા ત્યાં સુઘી એમનાં માતા જ એમનાં શિક્ષકા બની રહ્યાં હતાં.”, તો પ્રૂફવાચન પછી ઉપરના પહેલા વાકયને અંતે રહેલા બે શબ્દોઃ ‘રહ્યાં હતાં’ નાં અનુસ્વાર દૂર થઇ જાય અને બીજા વાકયને અંતે રહેલા એ જ પ્રકારના બે શબ્દો ‘રહ્યાં હતાં’ પરનાં અનુસ્વાર ચાલું રહે! 

            આ પ્રકારની પ્રૂફવાચન થયેલી કૉપિ પસ્તીમાં જતી હોય છે. ભાષાસજજતાના તાલીમ વર્ગોમાં એ પાઠયપુસ્તક તરીકે ખપમાં આવી શકે. અનુસ્વારની કે બીજા પ્રકારની ભૂલો ભાષાસજજતા છતાં કયારેક લખાણમાં રહી જતી હોય છે તો કયારેક નજરમાં આવતી નથી. દેખીતી રીતે જે લખાણ સાચું લાગતું હોય એમાં પણ અનેક પ્રકારની ભૂલો રહી જતી હોય છે, અને જીતેન્દ્ર દેસાઇ કહે છે એ મુજબ કયારેક પાંચમી વારનું પ્રૂફ પણ સંતોષજનક ન લાગે. ફેસબુક પર સુવાકયો ટાંકતી વખતે પણ અમુક લોકો, અમુક લેખકો સુધ્ધાં, ‘આત્મસાત્’ લખતી વખતે ખોડો ‘ત્’ કરતાં નથી. સંયકતાક્ષર (જોડાક્ષર) લખવાની વ્યવસ્થિત તાલીમ શાળામાં અપાતી ન હોવાથી સરેરાશ ગુજરાતી ‘શ્રદ્ધા’ લખવાને બદલે ‘શ્રધ્ધા’ જ લખે છે. ખોડો ‘દ્’ અને ‘ધ’ જોડાઇને ‘દ્ધ’ અક્ષર બને એવો ખ્યાલ હોય તો અમુક જગ્યાએ ટાઇપ કરતી વખતે ‘દ્ધ’ અક્ષર કયાંય શોધવા જવું ન પડે. 'શ્રદ્ધા'ને 'શ્રધ્ધા' લખવાને કારણે જ્યારે વિશેષ નામ તરીકે 'શ્રદ્ધા'નું અંગ્રેજી કરવાનું આવે ત્યારે પણ જોડણીમાં ભૂલ પડે. 

            ૧૯૯૪માં હું દશમા ઘોરણમાં અભ્યાસ કરતો ત્યારે ગુજરાતીના પાઠયપુસ્તકમાં આવતી ‘લોહીની સગાઈ’, ‘જુમો ભિસ્તી’ કે ‘સેલ્વી પંકજમ્’ જેવી વાર્તાઓ મને એેટલી હદે ગમી ગઈ હતી કે એ વાંચતાં વાંચતાં જ સાહિત્ય અને વાચન સાથે કયારે સંબંધ બંધાઈ ગયો એની મને પણ ખબર ન પડી . અત્યાર સુઘીમાં આશરે નહીં, પણ રેકોર્ડ તપાસીને કહું તો મેં ૧૦૦૦થી વધુ પુસ્તકો વાંચ્યાં છે. કોઇને આ આંકડો મોટો લાગી શકે, કોઇને નાનો. આટલાં વર્ષોમાં પુસ્તકોનો સંપર્ક કયારેય છૂટયો નથી કે સાહિત્ય પ્રત્યેની મારો લગાવ જરાય ઘટયો નથી; એ લગાવ વઘ્યો છે અને વધતો રહે છે. આમ છતાં ભાષાસજજતા પ્રત્યે મેં ખાસ ઘ્યાન આપ્યું નહોતું. પપ્પાનો અભ્યાસ ૪ ઘોરણ સુઘીનો. મમ્મીએ ઓલ્ડ એસ.એસ.સી સુઘીનો અભ્યાસ કરેલો અને શિક્ષણનું મહત્ત્વ સમજતાં એટલે હું ખૂબ અભ્યાસ કરું એવી એમની ઇચ્છા હતી. ભાષાસજજતા વિશે બાળપણમાં મને ખાસ તાલીમ મળી શકી નહીં, અને અધૂરામાં પૂરું ગુજરાતી સાહિત્યનાં અનેક પુસ્તકોનું વાચન કર્યું હોવા છતાં કૉલેજમાં મેં અંગ્રેજી વિષય રાખ્યો. આને લીધે ગુજરાતી વ્યાકરણ કાચું રહ્યું અને અમુક જોડાક્ષરો લખવાથી લઇને અનુસ્વાર વગેરે જેવી બાબતોમાં હમણાં સુધી મને તકલીફ રહી. 

           આ પુસ્તક પ્રકાશન અને પ્રૂફવાચનની પ્રક્રિયામાંથી પસાર થયા પછી, ભાષા પ્રત્યેની મારી સભાનતામાં અનેકગણો વઘારો થયો છે. ૧૯૯૯ માં કૉલેજના પ્રથમ વર્ષ દરમિયાન લખેલી મારી પ્રથમ વાર્તા ‘દાદા’ નવચેતન સામયિકમાં છપાઇ હતી. આજે પણ કોઇ એ વાર્તા વાચે તો ચંદ્રકાંત બક્ષીની અસર એમાં દેખાઈ આવે. ૨૦૧૨માં મમતા સામયિકમાં ‘મહેશ્વરી’ નામની વાર્તા છપાઇ હતી. કુલ દશેક જેટલી જ વાર્તાઓ આટલા લાંબા સમયમાં મારાથી લખી શકાઈ છે. ભાષાસજજતા સાહિત્યસર્જન જેવું નથી કે બધા ન કરી શકે. હા, એ થોડી ઘણી મહેનત અને ખંત જરૂર માગે છે. આ માટેના તાલીમ વર્ગોમાં ભાગ લીઘો હોય તો ભાષા વિષયક સજજતા કેળવી શકાય છે. અને વળી જો સાહિત્યિક સર્જનોને માત્ર સુધારી જ નહીં પણ માણી પણ શકતા હોય એવા અનુભવી અને ખુલ્લાં મનના એક-બે પ્રૂફવાચકો જીવનમાં મિત્ર તરીકે મળે તો ઉત્તમ. 

 ભાષાસજજતાથી તમે કદાચ લેખક નહી બની શકો. સાહિત્યસર્જન ઘણે અંશે જન્મદત્ત મળેલી બક્ષિશ સમાન છે. અને વળી સર્જકોની સર્જનાત્મકતામાં ફરક હોય છે. કોઇક વર્ષમાં બે-ત્રણ પુસ્તકો, એ પણ વળી ગુણવત્તાયુક્ત, વિના આયાસે લખી શકે છે તો કોઇકને એક નબળું પુસ્તક લખવામાં પણ યાતનાનાં અનેક વર્ષો વીતી જાય છે. ભાષામાં નિપૂણતા મેળવવાથી કદાચ તમે ‘વૈષ્ણવજન તો તેને રે...’, ‘તિલક કરતાં ત્રેપન થયાં...’, ‘ડગલું ભર્યું કે ના હઠવું ...’, ‘વ્યકિત મટીને હું બનું વિશ્વમાનવી...’, ‘જયાં જયાં નજર મારી ઠરે...’ ‘તને ઝંખી છે યુગોથી ઘીખેલા પ્રખર સહરાની તરસથી’ ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં...’ જેવી પંકિતઓ કે મિયાં ફૂસકી, સરસ્વતીચંદ્ર, અલીડોસા, ભદ્રંભદ્ર, ગોપાળબાપા, તિલક, કે અમરત કાકી જેવાં અમર પાત્રો કે ‘સૌરાષ્ટ્રની રસઘાર’, ‘માનવીની ભવાઇ’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘લીલૂડી ઘરતી’, ‘ગ્રામલક્ષ્મી’, ‘સાત પગલાં આકાશમાં’, ‘આકાર’, ‘પેરેલિસિસ’, ‘આંગળિયાત’, ‘વિચારોના વૃન્દાવનમાં’, ‘ઓતરાતી દીવાલો’, ‘સહરાની ભવ્યતા’ કે ‘અમાસના તારા’ ‘ઊપરવાસ’ કથાત્રયી, ‘પ્રિયજન ‘તત્ત્વમસિ’, ‘અકૂપાર’ જેવા ઉત્તમ કક્ષાનાં પુસ્તકો વગેરેનું સર્જન ન કરી શકો, પણ આવાં સર્જનોનાં ઉત્તમ વાચક તમે અવશ્ય બની શકશો. એથી માતૃભાષા પદ્ધતિસર શીખ્યાનું ગૌરવ પણ અનુભવાશે અને તમારા આત્મવિશ્વાસ અને લોકો તરફથી મળતાં સમ્માનમાં પણ ખસૂસ વઘારો થશે જે તમારા ક્ષેત્રમાં પણ અનેક રીતે ઉપયોગી પુરવાર થઈ શકે.

Sunday 29 November 2020

Thomas Hardy in Gujarati

This lockdown of 2020 gave me resume the translation of Thomas Hardy's famous novel - a love story - 'Far From the Madding Crowd' The translation finished in two-three months and the tough thing was proofreading. I read my own book so many times that now when it is published by Pravin Prakashan, Rajkot, I will do anything but reading it again. 


The book is available at www.pravinprakashan.com

In Gujarati the title is: Kolahalthi Door'.

Saturday 11 July 2020

અ‍ેક ફિલ્મની કનડતી સ્મૃતિઓ – હિતેષ જાજલ

      ૧૯૬૫માં બનેલી અ‍ે ઑફબીટ ફિલ્મ ૧૩-૧૪વર્ષની કાચી વયે પહેલીવાર દૂરદર્શન પર જોઈ હતી. ૧૯૯૨-૯૩ની સાલ હશે. સાત–આઠ વર્ષ વીતી ગયાં પછી અ‍ે ફિલ્મની સ્મૃતિઓ મને કનડવા લાગી. અ‍ે ફિલ્મની સ્ટોરી અને અ‍ેનાં દ્રશ્યો મને યાદ આવતાં ત્યારે અ‍ે ફિલ્મ ફરી જોવાની ઈચ્છા થઈ આવતી, પણ મને અ‍ે ફિલ્મના નામની પણ ખબર નહોતી. વળી ૧૩-૧૪ વર્ષની વયે આટલી જુની ફિલ્મનાં પાત્રોનાં નામ યાદ રાખવાનો વિચાર પણ કેમ કરીને આવે? મને બસ બેજ વસ્તુઓ યાદ હતીઃ ફિલ્મની પૂરેપૂરી સ્ટૉરી અને અ‍ે ફિલ્મનાં દ્રશ્યો જે મારા માનસપટલ પર પથ્થર પર થયેલા કોતરકામની જેમ કોતરાઈ ગયાં હતાં. અ‍ે સમયે ઈન્ટરનેટની શરૂઆત હતી. અ‍ેમાં પણ મેં કેટલાક સમય સુઘી અ‍ે ફિલ્મનું નામ સર્ચ કરવાની કોશિશ કરી, પણ સફળતા મળી નહીં, અ‍ેટલે કંટાળીને મેં સર્ચ કરવાનું જ છોડી દીઘું. કદાચ અ‍ે ફિલ્મ વિશે અ‍ે સમયે ઈન્ટરનેટ પાસે કોઈ માહિતી જ નહીં હોય અથવા તો સર્ચ માટે પણ મારી પાસે પૂરી માહિતી જ નહોતી. પછી યાદદાસ્ત પરથી મેં બઘાને – મિત્રોને, સંબંઘીઓનેે, પાડોશીઓનેે, ફિલ્મરસિકોનેે, લેખકોને, પત્રકારોને અને દરેક યુવાન, મઘ્યવયસ્ક અને બુઝુર્ગ વડીલોને – ફિલ્મની સ્ટૉરી કહેવા માંડી. કંઇકેટલાયે માણસોને મે અ‍ે સ્ટૉરી સંભળાવી હશે પણ કયાંયથી ફિલ્મનું નામ ન મળ્યું. કોઇઅ‍ે આત્મવિશ્વાસથી અમુક તમુક ફિલ્મોનાં નામ કહ્યાં. અ‍ે ફિલ્મો પણ હું જોઈ ગયો, પણ આ ફિલ્મ મળી નહીં. યાદદાસ્ત પરથી હું બઘાને જે સ્ટોરી સંભળાવતો અ‍ે આ મુજબ હતીઃ

     “અ‍ેક મઘ્યમવર્ગનો સાંઠેક વર્ષનો અ‍ેક વૃદ્ઘ અ‍ેક સામાન્ય કારકુન જેવી નોકરી કરી માંડમાંડ ઘર ચલાવે છે. ઘરમાં અ‍ેની પત્ની છે, અ‍ેક યુવાન દીકરો, દીકરી છે જે બંને કૉલેજમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત અ‍ેક નોકર પણ છે. પરિવાર માટે તનતોડ મહેનત કરતાં આ માણસની કાળજી કે નોંઘ લેનાર ઘરમાં કોઈ નથી, સિવાય કે નોકર. યુવાન સંતાનો ફિલ્મો, પાર્ટી અને પોતાની મોજશોખની વસ્તુઓમાં મશગૂલ છે અને પત્ની સંતાનોનાં સુખની ચિંતામાં. અઘૂરામાં પૂરું ઑફિસે બૉસ પણ આ વૃદ્ઘને સમયસર કંપનીઓના ઓર્ડર ન લાવવા કે સમયસર ઓફિસે ન પહોંચવા બદલ ઘમકાવ્યે રાખે છે. આવી પરિસ્થિતિમાં પણ વૃદ્ઘના ચહેરા પરની ઠંડક અને અવાજની નરમાશ અને બધાં સાથેનું અ‍ેનું સૌમ્ય વર્તન દિલને સ્પર્શી જાય છે. અ‍ે વૃદ્ઘ મઘ્યમવર્ગના અ‍ેવા પુરુષવર્ગનું પ્રતિનિઘિત્વ કરે છે જે કયારેય લુપ્ત થવાનો નથી.

       અ‍ેક દિવસ પત્ની જણાવે છે કે કપડાંવાળાને રૂપિયા અપાયા નથી અ‍ેટલે અ‍ેણે કાયદેસરની કાર્યવાહી કરવાની ઘમકી આપી છે. પછીના દિવસોમાં વકીલ તરફથી અ‍ેક પત્ર પણ ઘરે આવે છે ત્યારે અ‍ે ખોલ્યા વગર જ અ‍ે વૃદ્ઘે માની લીઘું કે અ‍ે પેલા કપડાંવાળાની જ નોટિસ હશે. બીજા દિવસે અ‍ે વૃદ્ઘ ઘરેથી નીકળે છે અ‍ે જ સમયે અ‍ેક વકીલની કાર અ‍ેના ઘર પાસે અટકે છે અને વકીલ ઘરનું બારણું ખખડાવી અ‍ે વૃદ્ઘ વિશે પૂછપરછ કરે છે. નોકર જણાવે છે અ‍ે તો હમાણાં જ ગયા. વકીલ પોતાની કાર ચલાવી આગળ જાય છે અને અ‍ે અકસ્માતે અ‍ે વૃદ્ઘ સાથે ભેટો થઈ જાય છે. વૃદ્ઘ વકીલને પેલો પત્ર દેખાડી પોતાનું નામ જણાવે છે અને કહે છે કે અ‍ે પગાર મળતાં જ કપડાંવાળાના રૂપિયા ચૂકવી આપશે, પણ વકીલના મગજમાં તો બીજી જ વાત ચાલતી હોય છે. અ‍ે પેલા વૃઘ્ઘને કહે છે, “હવે તમે તમારી ઑફિસે નહીં, પણ મારી ઑફિસે જઈ રહ્યા છો.” વૃદ્ઘ પોતાની ઘરપકડ થઈ હોય અ‍ેમ ડરી જાય છે; અ‍ે ઘણી આજીજી કરે છે, પણ વકીલ અ‍ેની અ‍ેક વાત પણ માનતો નથી. વકીલની ઑફિસે અ‍ે વૃદ્ઘને અ‍ેની જિંદગીનું સૌથી મોટું આશ્ચર્ય મળે છેઃ વૃદ્ઘના દૂરના અ‍ેક સંબંઘી નિઃસંતાન અવસાન પામતાં લાખો–કરોડો રૂપિયાની રકમ અ‍ેમને વારસામાં મળે છે! વૃદ્ઘ પહેલાં તો આ વાત માની જ શકતો નથી. અ‍ે મજાકમાં કહે છે, “જો મને આટલી મોટી રકમ વારસામાં મળી હોય તો અ‍ેમાથી મને જરા ૫૦૦ રૂપિયા આપો જોઈ.” વકીલ અ‍ેને અ‍ે જમાનાની સો સો રૂપિયાની મોટી મોટી પાંચ નોટો આપે છે. આખરે અ‍ેને માનવું જ પડે છે કે અ‍ેની કિસ્મત આડેનું પાંદડું ખસી ગયું છે. અ‍ે બહાર આવે છે. ચપરાસી અ‍ેના માટે કાર ઊભી રખાવે છે ત્યારે અ‍ે વૃદ્ઘ પેલા ચપરાસીને સો રૂપિયાની અ‍ેક નોટ બક્ષિશ પેટે આપે છે. ચપરાસી કંઈક આનાકાની કરવા જાય છે ત્યારે વૃદ્ઘ કહે છે, “મારી સાથે ચમત્કાર થઈ શકે તો તારી સાથે પણ કેમ ન થઈ શકે?”

     વૃદ્ઘને હવે નોકરી કરવાની કોઇ જરૂર રહી નથી. આમ છતાં નોકરીનો છેલ્લાં દિવસે અ‍ેક મસમોટો ઓર્ડર લાવીને બોસની કૅબિનમાં રજા લીઘા વિનાં જ પ્રવેશ કરે છે અને પેલાં ઓર્ડરનાં કાગળિયા બોસના ટેબલ પર ફેંકે છે. બોસ વૃઘ્ઘના આવા બેપવાહીભર્યા વર્તનની નોંઘ લે છે, પણ આટલાં મોટા ઓર્ડર લાવનારને કંઇ વઢાય થોડું? અ‍ે વૃદ્ઘનાં વખાણ કરવા પ્રયત્ન કરે છે, પણ વૃદ્ઘ તો બગાવતના મૂડમાં છે. રાજીનામું આપી, પગાર લઈ અ‍ે ત્યાંથી નીકળી જાય છે.

     ઘર ચલાવાની ચિંતામાં આખી જિંદગી વૃદ્ઘે વૈતરું જ કર્યું હતું. પોતાના શોખ, પોતાની ઇચ્છાઓ પૂરી કરવાનો અ‍ેને કયારેય સમય જ નહોતો મળ્યો. જિંદગીઅ‍ે હવે અ‍ેને અ‍ેવી તક પૂરી પાડી હતી. નોકરી છોડવાનો નિર્ણય આ દિશામાં પહેલું પગલું હતું. પછીના દિવસોમાં વૃદ્ઘ અ‍ે જ વકીલની મદદ લઈને રના સભ્યોને અ‍ેમની ઇચ્છા મુજબની બઘી વ્યવસ્થા કરી આપે છે. પત્નીને અ‍ેક મકાન લેવાની ઇચ્છા હતી. દીકરાને કારનો શોરૂમ ખોલવાની ઇચ્છા હતી અને દીકરી ઢગલાબંઘ સાડીઓ ખરીદવાની અને સૌંદર્યપ્રસાઘનોની દુકાનો ખરીદવાની ઇચ્છા હતી. આ ઉપરાંત અ‍ે બઘાંનાં બૅંક ખાતામાં અ‍ેક-અ‍ેક લાખ રૂપિયા પણ મૂકી આપ્યા છે.

     હવે બચ્યા વૃદ્ઘ પોતે. પરિવારજનોની ઇચ્છા પૂરી કરી અ‍ે લાંબી મુસાફરીઅ‍ે ઊપડી જાય છે. ટ્રેનમાં ટીસી આવે છે ત્યારે વૃદ્ઘને ખ્યાલ આવે છે કે પોતે ટિકિટ તો ઘરે જ ભૂલી ગયા છે. ટીસી કહે છે તમે ટિકિટ લીઘી જ નહીં હોય. વૃદ્ઘ કહે છે અ‍ેણે ટિકિટ તો લીઘી જ હતી. આમ કહી અ‍ે સ્ટેશનનું નામ પણ લે છે. ટીસી હસીનેે જણાવે છે કે અ‍ે ટ્રેન અ‍ે સ્થળે જતી જ નથી; અ‍ેણે ખોટી ટ્રેન પકડી છે. વૃદ્ઘ અ‍ેને અ‍ે ટ્રેન જયાં જતી હોય અ‍ે છેલ્લા સ્ટેશનની ટિકિટ આપવા જણાવે છે. ટીસી પણ સજ્જન છે, પણ વૃદ્ઘની આવી વાત સાંભળીને અ‍ે મજાક કરતો હોય અ‍ેમ કહે છે, “તમારે કયાં જવું છે અ‍ેની તમને પણ ખબર નથી અ‍ેવું લાગે છે!” વૃદ્ઘ કહે છે, “મારે કયાં જવું છે અ‍ેની તો મને ખબર છે, પણ મને અ‍ે જગ્યાના નામની ખબર નથી.” ટીસી અ‍ે જગ્યા વિશે વઘું પૂછે છે ત્યારે વૃદ્ઘ જણાવે છે કે અ‍ે કોઇ અ‍ેવી જગ્યાઅ‍ે જવા માંગે છે જયાં અ‍ેના આત્માને શાંતિનો અનુભવ થાય; અ‍ેવી જગ્યા જયાં અ‍ે સુખ–ચેનથી અમુક સમય વીતાવી શકે. ટીસી હવે અ‍ે વૃદ્ઘની મનોદશા સારી રીતે સમજી ચૂકયો છે. અ‍ે અ‍ેને અ‍ે જ રૂટ પર આવતા પોતાના ગામે જવાનું કહે છે. વૃદ્ઘ ત્યાં જવા તૈયાર થાય છે.

     ગામમાં પહોંચી વૃદ્ઘ અ‍ેક મોટું મકાન ભાડે લઈ લે છે. વૃદ્ઘે અમુક મહિનાનું ભાડું અ‍ેડવાન્સમાં ચૂકવી દીઘું છે અ‍ેથી આર્થિક ખેંચ અનુભવતાં મકાનમાલિક પણ રાજી થઈ જાય છે. મકાન કેટલાયે દિવસથી બંઘ છે. મકાનમાલિકને પરાણે વહાલી લાગી અ‍ેવી સુશીલ અને સમજદાર દીકરી છે જે આ મકાનની સાફસફાઈ કરી રહેવાલાયક કરી આપે છે. ભણીગણીને ડોકટર થવા માંગતી મકાનમાલિકની દીકરીની કૉલેજની ફી ભરવાના રૂપિયા પણ ઘરમાં ન હતાં. રૂપિયાની ખાસ જરૂર હતી અ‍ે સમયે જ વૃદ્ઘે ત્યાં પહોંચીને અ‍ેમને અ‍ેડવાન્સ ભાડું આપ્યું હતું તેથી મકાનમાલિકની દીકરી પોતે પણ વૃદ્ઘનો આભાર માને છે.

વૃદ્ઘને જેવા સ્થળની તલાશ હતી આ અ‍ેવું જ સ્થળ હતું. અહીં પહાડો છે, દરિયો છે, દૂર દૂર સુઘી ફેલાયેલાં સુંદર ખેતરો છે, મગજને તરોતાજા કરી મૂકે અ‍ેવો ગુલાબી પવન છે અને માયાળુ માણસો છે. અ‍ેક દિવસ દરિયો જોઈને પોતાના યુવાનીના દિવસો યાદ આવી જતાં વૃદ્ઘ તરવાનું સાહસ ખેડે છે, પણ આગળ જઈને થાકી જતાં ડૂબવા માંડે છે. સદ્ભાગ્યે ત્યાંથી અ‍ેક હોડી પસાર થઈ રહી હતી. અ‍ે હોડીનો નાવિક વૃદ્ઘને હોડીમાં ખેંચી લે છે. હોડીમાં અ‍ેક સ્ત્રી પણ છે. સુંદર છે, ભણેલીગણેલી છે, અને વળી ચિત્રકાર છે. અ‍ેને ગામનાં છોકરાંઓ માટે સ્કૂલ ખોલવાની ઇચ્છા છે. બીજી કોઈ સુવિધાના અભાવમાં વૃદ્ઘ પોતાના અ‍ે મોટા મકાનનો અ‍ેક ઓરડો ગામનાં બાળકોને ભણાવવા માટે અ‍ે સ્ત્રીને આપી દે છે.  વૃદ્ઘ સુખપૂર્વક પોતાનો સમય વ્યતીત કરવા માંડે છે. લોકો સાથે પરિચય વઘે છે. મકાનમાલિક સિવાય અ‍ેમના પાડોશી ઠાકુરસાહેબ છે જેમની સાથે વૃદ્ઘ અવારનવાર શતરંજ રમવા જાય છે. ગામમાં કોઇ રોગથી ખેડૂતોના બળદો મરવા લાગે છે ત્યારે વૃદ્ઘ પોતાના વકીલનો સંપર્ક કરી ગામમાં ટ્રેકટર લાવે છે. આમ ગામલોકો સાથે પણ સંપર્કમાં આવે છે.

     આ દરમિયાન વૃઘ્ઘના દીકરાઅ‍ે પોતાના ભાગના બઘા રૂપિયા ઉડાડી મૂકયા છે અને ધંધામાં પણ ખોટ ખાધી છે. બાઈબલમાં આવતી પેલી ‘ઘ પ્રોડિગલ સન’ની વાર્તામાં થાય છે અ‍ેમ વૃદ્ઘનો દીકરો આ ગામમાં આવી આવા માયાળુ પિતાને પોતે કયારેય સમજી ન શકયો અ‍ે બદલ માફી માંગે છે. હવે વૃદ્ઘનો દીકરો પણ ગામમાં રહીને ટ્રેકટર ચલાવી ખેડૂતોને ખેતી કામમાં મદદ કરે છે. મકાનમાલિકની દીકરી અને વૃદ્ઘનો દીકરો અ‍ેકબીજાની નજીક આવે છે. સમય પસાર થતો રહે છે. અમુક સમય પછી મકાનમાલિકની દીકરી શહેરમાં પોતાની પરીક્ષા આપવા જાય છે. ગામમાં હૉસ્પિટલ અને સ્કૂલ ખોલવાની વાતો થાય છે. વૃદ્ઘ અ‍ેમાં પોતાનો મોટો ફાળો આપે છે. ગામનાં લોકો પર વૃદ્ઘની છાપ અ‍ેક પરોપકારી માણસ તરીકેની છે, કારણ કે ઘણાં લોકોઅ‍ે અ‍ેમની કૃપાનો ફાયદો અ‍ેક યા બીજી રીતે મેળવ્યો છે. મકાનમાલિકની દીકરી ડૉકટર બનશે ત્યાં સુઘીમાં હૉસ્પિટલ તૈયાર થઈ જશે. પછી હૉસ્પિટલની જવાબદારી અ‍ે જ સંભાળશે.

      અ‍ેક દિવસ વાતવાતમાં વૃદ્ઘ પોતાના મકાનમાલિકને પોતાના દીકરા માટે અ‍ેમની દીકરીનો હાથ માંગે છે. મકાનમાલિક રાજી થઇને આ પ્રસ્તાવને સ્વીકારે છે. વૃદ્ઘનો દીકરો પોતાની માતા અને બહેનને પણ અહીં લાવવા શહેર જાય છે.

     આ સમય દરમિયાન પેલી ભણેલી સ્ત્રીનો બનેવી પોતાની આ સુંદર સાળી પોતાને કોઈભાવ આપતી નથી અ‍ે વાતનો બદલો લેવા ગામમાં અ‍ેવી અફવા ઉડાવે છે કે પેલા વૃદ્ઘ અને પોતાની સાળી વચ્ચે અનૈતિક સંબંઘો છે. વળી સંજોગો પણ અ‍ેવા બને છે કે પેલી ભણેલી સ્ત્રીને રાતે વૃદ્ઘના ઘરે સૂવું પડે છે. લાકો કશું અયોગ્ય ન વિચારે અ‍ેટલે અ‍ે રાત્રે પેલા વૃદ્ઘ પોતે પાડોશી ઠાકોરસાહેબને ત્યાં જ સૂઈ જાય છે. વૃદ્ઘને ચોખવટ કરવાની તક પણ આપ્યા વગર ગામાનાં લોકો અ‍ેને ખરી ખોટી સંભળાવે છે. વૃદ્ઘ ચાલતાં-ચાલતાં કયાંક દૂર નીકળી જાય છે. ઠાકોરસાહેબ વૃદ્ઘના મકાનમાલિક સામે ચોખવટ કરે છે કે અ‍ે રાત્રે અ‍ે વૃદ્ઘ મોડી રાત સુઘી પોતાની સાથે શતરંજ રમતા રહ્યા હતા અને પોતાને ત્યાં જ સૂતા હતા.

     બઘી ચોખવટ થઇ જતાં ગામલોકો અને મકાનમાલિક વૃદ્ઘના ઘરે માફી માંગવા જાય છે. વૃદ્ઘની પત્ની, દીકરો અને દીકરી પણ શહેરથી આવી ગયા છે. હવે બધાં અ‍ેમને શોઘવા નીકળે છે. આખરે અ‍ે અ‍ેક ઝાડ નીચે બેઠેલા મળી આવે છે. ગામનાં લોકો અ‍ેમની માફી માંગે છે, પણ હવે અ‍ે માફી પણ આપી શકે અ‍ેમ નથી, કારણ કે ગામલોકો ત્યાં પહોંચ્યા ત્યારે વૃદ્ઘનું ખોળિયું જ ત્યાં હતું, પ્રાણ તો કયારનોય જતો રહ્યો હતો.”

2016માં ફરી ઈન્ટરનેટ પર સર્ચ કરતાં મને આ ફિલ્મ મળી આવી. ફકત નામ અને વિગત જ નહીં, પણ યુટયુબ પર પૂરીપૂરી ફિલ્મ પણ મળી આવી. અને અ‍ેમાં ત્રણ કલાકારો ઘણા ખરા વિખ્યાત હતા. 

   એ ફિલ્મ કઈ હોઈ શકે? એની આઈડિયા?


 હિતેષ જાજલ


-

Tuesday 26 November 2019

My Experiences in the Pool


It was my long-time dream to learn swimming as I always thought it to be one of those few most necessary lifeskills that one should master in one’s life. Last month (9th Oct., 2019, to be precise), I joined Swami Vivekanand Swimming Pool, near Pedak Road which is run by RMC. This is a three-month course. It has been great fun all along to put the body in the water for one full hour. It is something like playing golf; you enjoy it even if you don’t know how to play it. We have four coaches here: Siddharth sir, Vikram sir, Nachiket sir and Anand sir.
On the first day my coach, Nachiket sir, told me to just walk to and fro the width of the pool (21 metres) to make myself comfortable in the water and have some experience of underwater gravity. The depth at this end of the pool was merely 4 to 5 ft. Then there was bubble practice in which I was asked to take in deep breath, submerge myself completely into the pool water and breathe out the air in bubbles. During these two days I had already started practicing freestyle. On the fourth day, once we were through bubbling, floating, kicking, and diving, Siddharth sir explained us how to move hands in freestyle and why it was necessary to move them correctly. He gave the example of the oars of the boat (He used the nice Hindi word “patvar”). The oars propel the boat furthure by forcing the water backward.
This analogy of body as a boat and hands as oars worked with me and I did propel my body boat with my hand oars. Initially it gave a bit of confidence. But that confidence didn’t last long as one problem cropped up that bogged me down for more than two weeks and that was related to breathing and movement of the head. I was able to swim 10 to 15 metres but the bad thing was that I used to keep my head completely down under the water and hold my breath so at the end of 15 metres, my lungs became completely devoid of oxygen and carbon dioxide built up in them made me feel out-of-breath. I was somehow unable to take breathe during the swim. I saw some videos on youtube for whatever guidance I could have to get rid of this problem by learning a proper way to breathe. If someone asked me about the most difficult thing to master in swimming, I would say it is breathing while swimming. Most elite swimmers swim by keeping their face looking straight down, at the bottom of the pool and only turn their face to breathe. I tried to do the same, but what was easy to watch in the videos was difficult to do in practice. It is like a kid who learns how to ride a bicycle; if he focuses on governor, he forgets to pedal and if he focuses on the pedals, he forgets the governor. What to do? I saw others, my batch fellows, swaying their face both ways while swimming. But I was following the videos and the elite swimmers who never did that. At last I asked the coach, Vikram sir, who advised me to do the same as other biginners like me were doing: turn face sideways constantly while swimming so that my face remaind outside the water and I am able to breathe and swim longer distance.
I tried to do that but still movement of the neck was not satisfactory to the coaches. I thought maybe at 40, my neck and shoulder muscles have become too stiff to move correctly. However I continued the practice. But after a few days I felt I had reached a plateau where I was making no progress. I was getting frustrated as others were making progress. I was contemplating chucking up. I thought I have learned as much as I could. During these days, our coaches annonced the test and we were to swim entire length of the pool (i.e. 50m). I was not able to swim the width of the pool (21m) and here I was supposed to swim 50m! The middle of the pool had the depth of 8 to 9 ft. and the very thought that I would give up during that part made me more distraught. On that day I swam near the side of the pool and I finished the entire length with four stops. No doubt, it was a bad performance. However our coaches, observing us outside the water, shouted four suggestions to me during the test which proved quite useful later:
1.                             “Your legs are not working properly. Use your legs and kick properly.”
2.                             “Keep your body completely horizontal near the surface.”   
3.                              “Turn your head properly. Let your one ear and cheek submerge in the water when you move your hand and try to look towards the sky. That way you will be able to breath more freely ”    
4.                              “Don’t keep your body so stiff. Allow it to relax. Remember your position when you learned to float. Once you relax your body, you just have to move your hands and legs.”   
After the test I had a long discussion with my coach, Siddharth sir, on my problem and he repeated his advice with demonstration of head and neck movements. I thought maybe I should stop comparing myself with others who moved ahead of me and be happy as long as I am learning something on a daily basis that enhances my swimming style. I realised I should do more practice with correct guidance. I started practice again; this time with more fervour. And one day I felt that I could swim more than 15 metres because I was able to breathe in once or twice! There was no out-of-breath distress at the end. The following day, I swam 20 metres before I gave up and I felt that now I was able to move my head both the sides and breathe in while swimming. That very day I swam entire width of the pool (21 m i.e. 68 feet) at one go and all along I had been breathing, turning the head both the sides. I must admit it was a nice feeling.
This is an account of my one-and-a-half month swimming experience. Long ago I watched a movie named “The Curious Case of Benjamin Button” in which an old lady, around 50 or 60, fulfilled her dream to swim across English Channel (32 kms). Many people have done it. Recently I read about Sarah Thomas, 37 year old American lady, who swam across English Channel four times in a row in 54 hours. I hope I will be able to swim at least 100m before my three months come to an end.

     

Friday 2 December 2016

As kids see it ...

The other day I was going to buy a TV, accompanied by my childhood friend's daughter, Drashti who is just seven years old studying in second standard. While we were passing by Indira Gandhi bridge near Ramnath Para, I showed her the chimney-pot of the crematorium emitting black smoke and asked her, "What is that?"

"It is Chimaney-pot of some factory." Said she.
I veered my bike towards the gate and asked, "Now tell me
what is this place?"

She saw the big statues of lord Shiva and heavenly apsaras and without wasting time replied, "Oh! It's the crematorium. I'm dying to see it from inside. I've told my dad for umpteemp times to take me there."

I temporarily postponed my plan to visit Sony Tv's outlet and we went inside. I showed her electric crematorium first. It had an embossed wall painting depicting the various stages of life from childhood to old age when a man becomes quite feeble and is ready to die. There were some people chatting idly here and there. She understood what black smoke, that the chimney was emitting, was.

Then we visited the part of crematorium where bodies were cremated with logs. There were four grilled beds for the cremation. I told her those who don't choose electric crematorium, they came there.

While we were loitering, watching other idols and prayer-room etc, I noticed Drashti had slipped into a plaintive mode.

I was just about to ask her why she kept a mum when she said: "I would never like any of my family members to leave me and get cremated."

I thought I should say some comforting words after exposing her to such facts of life, so I said, "You know, death is inevitable. People die when they are old and feeble. We cannot help it. That is a natural phenomenon."

"Yeah, true. Don't young people sometimes die and leave us, all of a sudden? Considering that it's natural that people die at old age...!!!" Said she

And I stopped walking, scratching my head and wondering, "Was it she that spoke those worldlywise words!!! Or some spook transported into her body was uttering those words to me!!!...?"

:-) :-) :-)